Site icon Revoi.in

સેના માટે દેશ પ્રથમ, અગ્નિવીરોની ભરતીમાં કોઈ ફેરફાર નહીઃ ભારતીય સેના

Social Share

નવી દિલ્હીઃ ભારતીય આર્મીમાં અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી મામલે ચાલી રહેવા વિવાદ વચ્ચે ભારતીય સેનાએ કહ્યું કે, સેના માટે દેશ પ્રથમ છે અને અગ્નિવીરોની ભરતીમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. સેનામાં જોડાઈને સેવા આપવી દેશભક્તિ અને જુસ્સાનું કામ છે, આમ આ દેશભક્તિની તક યુવાનોએ હાથમાંથી જવા ના દેવી જોઈએ, એટલું જ નહીં યુદ્ધ લડનાર અગ્નિવીરનું પરમવીર ચક્રથી સન્માન પણ સરવામાં આવશે.

લશ્કરી બાબતોના વિભાગના અધિક સચિવ લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ જણાવ્યું હતું કે, આ દેશભક્તિની તક છે, યુવાનો તેને હાથેથી જવા ન દે. સેનામાં સેવા આપવી એ દેશભક્તિ અને જુસ્સાનું કામ છે. એવું કહેવામાં આવ્યું છે કે જો અગ્નિવીર યુદ્ધ લડશે તો તેને પરમવીર ચક્ર પણ મળશે. અગ્નિપથ યોજા હેઠળ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની હિંસામાં સામેલ નહીં હોવાનું એફિડેવીટ કરવું પરશે. રેજિમેન્ટલ પ્રક્રિયામાં પણ કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. ઉમેદવારોએ એફિડેવિટ આપવું પડશે કે તેઓ કોઈપણ પ્રકારની હિંસામાં સામેલ નથી. આ સમગ્ર દેશની સુરક્ષાનો મામલો છે ત્યારે કેટલાક લોકો અફવા ફેલાવીને લોકોને ગુમરાહ કરી રહ્યાં છે. સેનાના જૂના જવાનોને અગ્નિવીર યોજના હેઠળ મોકલવાનું કોઈ પ્લાનીંગ નથી. દેશના 50 ટકા યુવાનોની ઉંમર 25 વર્ષથી ઓછી છે. સેનાએ આનો વધુમાં વધુ ફાયદો લેવો જોઈએ.

એર માર્શલ એસકે ઝાએ કહ્યું કે, એરફોર્સમાં પ્રથમ વર્ષમાં 2 ટકા અગ્નિવીરોની ભરતી શરૂ કરીને તેને ધીમે ધીમે વધારવામાં આવશે. તે પાંચમા વર્ષે 6000 અને 10માં વર્ષે 9000થી 10000 થઈ શકે છે. હવે એરફોર્સમાં દરેક ભરતી ‘અગ્નવીર વાયુ’ દ્વારા થશે. અગ્નિપથ યોજના હેઠળ કરવામાં આવનાર ભરતી પ્રક્રિયા, પ્રવેશ સ્તરની લાયકાત, પરીક્ષાના અભ્યાસક્રમ અને તબીબી ધોરણોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.