Site icon Revoi.in

ભારત-શ્રીલંકા સીરિઝ પર સંકટના વાદળોઃ શ્રીલંકાના બેટીંગ કોચને લાગ્યું કોરોનાનું સંક્રમણ

Social Share

દિલ્હીઃ વિરાટ કોહલીની કપ્તાની હેઠળ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરિઝ રમશે. બીજી તરફ ભારતની શિખર ધવનની આગેવાની હેઠળ અન્ય ટીમ શ્રીલંકામાં તેની જ ધરતી ઉપર સિમિત ઓવરની મેચમાં પડકાર ફંકવાની તૈયારી કરી રહી છે. જો કે, સીરિઝના આયોજનને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે. શ્રીલંકાના બેટીંગ કોચ ગ્રાન્ટ ફ્લાવરને કોવિડ-19 પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે 13મી જુલાઈથી ત્રણ વન-ડે અને 3 ટી-20 મેચની સીરિઝ રમાશે. આ દરમિયાન શ્રીલંકાની ટીમ હાલ આઈસોલેટ છે. જ્યારે ફ્લાવરને ટીમથી અલગ રાખવામાં આવ્યાં છે.

શ્રીલંકા ક્રિકેટએ જણાવ્યું હતું કે, શ્રીલંકા રાષ્ટ્રીય ટીમના બેટીંગ કોચ ગ્રાન્ટ ફ્લાવરનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ફ્લાવરને કોરોનાની બીમારીના સામાન્ય લક્ષણો જોવા મળતા જ પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ટીમથી અલગ કરાયાં છે. હાલ શ્રીલંકાની ટીમ આઈસોલેટ છે. ટીમ તાજેતરમાં જ ઈંગ્લેન્ડના પ્રવાસથી પરત આવી છે.

ટીમ ઈન્ડિયા માટે આ પહેલો મોકો છે કે જ્યારે શિખર ધવનને કપ્તાની શોપીને પ્રવાસ મોકલવામાં આવ્યાં હોય. આ ઉપરાંત ટીમના કોચ રાહુલ દ્રવિડને બનાવવામાં આવ્યાં છે. આ ટીમમાં યુવા અને સિનિયર ખેલાડીઓનું જોરદાર મિશ્રણ જોવા મળે છે.