- રક્ષામંત્રી લખનઉની મુલાકાતે
- 1170 કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે
- 180 વિકાસ પરિયોજનાઓનું ઉદ્દઘાટન કરશે
કાનપુર: રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે એક દિવસની મુલાકાત માટે ઉત્તરપ્રદેશના પાટનગર લખનઉ પહોંચી રહ્યા છે. રાજનાથ સિંહ 1710 કરોડના ખર્ચના પ્રોજેક્ટને ‘સ્માર્ટ લખનઉ’ અને યુપીને ‘સ્માર્ટ સ્ટેટ’ હેઠળ રજૂ કરશે. આ સિવાય રક્ષામંત્રી 180 વિકાસ પરિયોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ પણ કરશે.
આમાં સૌથી મહત્વનો પ્રોજેક્ટ ચોક ફ્લાયઓવર અને કિસાન પાથનું ઉદ્દઘાટન છે. રક્ષામંત્રી રાજનાથ સિંહની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય, ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા, શહેરી વિકાસ મંત્રી આશુતોષ ટંડન અને નાણામંત્રી સુરેશ ખાના હાજર રહેશે. આ કાર્યક્રમ 12 વાગ્યાથી ચોક સ્ટેડિયમ મલ્ટિલેવલ પાર્કિંગ પાસે શરૂ થશે.
ઉદ્દઘાટન અને શિલાન્યાસ સમારોહ બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાજસ્થાન અને હિમાચલ પ્રદેશના પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહને શ્રદ્ધાંજલિ આપશે.
ભાજપના તમામ 1918 માંડમાં કલ્યાણ સિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. પાર્ટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આજે લખનઉમાં મોટી શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ આ શ્રદ્ધાંજલિ સભામાં હાજરી આપશે. શ્રદ્ધાંજલિ સભામાં રાજનાથ સિંહ ઉપરાંત ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે.
ભાજપના સૂત્રોએ જણાવ્યું કે, પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનો સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે પાર્ટી દેશભરમાં એક અભિયાન ચલાવશે. CMS ગોમતીનગર એક્સ્ટેન્શન ખાતે બપોરે 2 વાગ્યે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવશે.