1. Home
  2. Tag "up"

ઉત્તરપ્રદેશમાં સીએમ યોગી સરકારનું વિસ્તરણ, ચાર નેતાઓએ મંત્રીપદના લીધા શપથ

લખનૌઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકારનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. આજે વધુ ચાર ધારાસભ્યોને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યાં છે. આમ સીએમ યોગીના મંત્રીઓની સંખ્યા વધીને 22 થઈ છે. સીએમ યોગીના મંત્રીમંડળમાં સામેલ કરાયેલા ચારેય મંત્રીઓને હવે ખાતાઓની ફાળવણી કરવામાં આવશે. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના નેતા ઓમ પ્રકાશ રાજભર, રાષ્ટ્રીય લોકદળના નેતા […]

રાહુલ ગાંધી વાયનાડ બેઠક છોડે તેવી શક્યતા, આ 2 લોકસભા સીટ પર ચૂંટણી લડવાની તૈયારી

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આગામી લોકસભા ચૂંટણીમાં કેરળની વાયનાડ બેઠક છોડે તેવી શક્યતા છે. ન્યૂઝ 18ના અહેવાલ પ્રમાણે, સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે વાયનાડથી લોકસભા ચૂંટણી લડશે નહીં તેવી ચર્ચા છે. રિપોર્ટ મુજબ, 2024ની લોકસભા ચૂંટણીમાં રાહુલગાંધી બે બેઠકો પરથી ચૂંટણી લડશે. સૂત્રો મુજબ, રાહુલ […]

માયાવતીને ભાજપ આપશે ફટકો, બીએસપીના વધુ ત્રણ સાંસદોની ભાજપમાં જવાની તૈયારી

લખનૌ: માયાવતીની બહુજન સમાજ પાર્ટી એકલાહાથે લોકસભાની ચૂંટણીમાં ઉતરવાની છે. પરંતુ બીએસીના નેતાઓ આનાથી સંમત દેખાય રહી નથી. તેના કારણે પાર્ટીમાં નાસભાગની સ્થિતિ પેદા થઈ ચુકી છે. પાર્ટીના સાંસદ રિતેશ પાંડેયે શુક્રવારે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો. તેમને યુપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક, ભાજપના પ્રદેશ પ્રમુખ ચૌધરી ભૂપેન્દ્રસિંહ અને યુપીના ભાજપ પ્રભારી બૈજયંત પાંડાની હાજરીમાં […]

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી-કૉંગ્રેસ ગઠબંધનનું કારણ મુસ્લિમ વોટબેંક?

નવી દિલ્હી: કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ચુકી છે. ઉત્તરપ્રદેશની કુલ 80 લોકસભા બેઠકોમાંથી 17 પર કોંગ્રેસ અને બાકીની બેઠકો પર અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને તેના નાના સાથીપક્ષો ચૂંટણી લડશે. જો કે સમાજવાદી પાર્ટી મહિનાઓથી દાવો કરી રહી હી કે કોંગ્રેસ, ઉત્તરપ્રદેશમાં મજબૂત નથી. માટે તેને તે હિસાબથી બેઠકો માંગવી […]

ઉત્તરપ્રદેશમાં શ્રદ્ધાળુઓ ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં ખાબકી, 20 વ્યક્તિના મોત 

લખનૌઃ યુપીના કાસગંજ જિલ્લામાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટના બનતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. પટિયાલી-દરિયાવગંજ રોડ પર શ્રદ્ધાળુઓથી ભરેલી એક ટ્રેક્ટર ટ્રોલીના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા રોડની સાઈડમાં તળાવમાં ખાબક્યું હતું. આ બનાવમાં ટ્રેક્ટર ટ્રોલીમાં સવારે અનેક શ્રદ્ધાળુઓ ડુબી ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20 શ્રદ્ધાળુઓના મોત થયાનું જાણવા મળે છે. મૃતકોમાં […]

2019માં ઉત્તરપ્રદેશની 10 લોકસભા બેઠકો પર જીતવામાં ભાજપનો છૂટી ગયો હતો પરસેવો! એક પર તો સરસાઈ હતી માત્ર 181 મતની

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ની ઘોષણામાં ખૂબ ઓછો સમય બાકી બચ્યો છે. ચૂંટણીની ઘોષણાથી પહેલા જ તમામ પક્ષોએ લોકોના દિલ જીતવા માટેની પોતપોતાની રણનીતિ પર કામ શરૂ કર્યું છે. યુપીમાં ગત વખતે ભાજપને સૌથી વધુ બેઠકો પર જીત મળી હતી. પરંતુ અહીંની 10 બેઠકો પર હારજીતની સરસાઈ 30000 મતથી ઓછી હતી. આ બેઠકોને ફરીથી જીતવા […]

જ્ઞાનવાપી-મથુરા જ નહીં, ટાર્ગેટ પર 3000 મસ્જિદો: યોગીના નિવેદન પર SP સાંસદનો દાવો

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે વિધાનસભામાં કહ્યુ હતુ કે અયોધ્યામાં રામમંદિર નિર્માણ બાદ હવે જ્ઞાનવાપીમાં નંદી બાબા બેરિકેડિંગ તોડી ચુક્યા છે. આ સિવાય કૃષ્ણજી પણ ક્યાં માનવાના છે. આ પ્રકારે તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે બાજપ હવે અયોધ્યા બાદ કાશી અને મથુરાના મામલાને આગળ વધારવાનું છે. આ બંને મામલાઓ પર કોર્ટમાં અરજીઓ […]

યુપીમાં હિંસક થઈ ટ્રકચાલકોની હડતાળ, પથ્થમારા બાદ પોલીસે કર્યો બળપ્રયોગ

મૈનપુરી: હિટ એન્ડ રનને લઈને બનાવામાં આવેલા નવા કાયદા વિરુદ્ધ ટ્રક અને બસચાલકોની હડતાળ યુપીના મૈનપુરીમાં હિંસક બની ગઈ. આ હડતાળિયા ડ્રાયવરો અને પોલીસની વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો વણસ્યો હતો. આ દરમિયાન ડ્રાયવરોએ પથ્થરમારો શરૂ કર્યો હતો. તેના કારણે પોલીસને લાઠી ચાર્જ કરવા પડયો હતો. આમ છતાં મામલો થાળે નહીં પડતા પોલીસે પહેલા ટિયરગેસના […]

સીએમ યોગીએ વર્ષ 2024માં વૃક્ષારોપણની તૈયારીઓની કરી સમીક્ષા,આવતા વર્ષે યુપીમાં 35 કરોડ રોપા વાવવામાં આવશે

લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વર્ષ 2024માં વૃક્ષારોપણનો લક્ષ્યાંક વધારીને 35 કરોડ કર્યો છે. મંગળવારે જ એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં યોગીએ મેગા પ્લાન્ટેશન અભિયાન-2024ની તૈયારીઓની સમીક્ષા કરી હતી અને જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. તેમણે કહ્યું કે છેલ્લા સાડા છ વર્ષમાં 168.14 કરોડથી વધુ રોપા વાવવાનું કામ કરવામાં આવ્યું છે.સ્ટેટ ઑફ ફોરેસ્ટ રિપોર્ટ 2015 અને […]

ઉત્તરપ્રદેશની સરકારે ઉર્દૂ ભાષાને લઈને 115 વર્ષ જૂનો આ કાયદો બદલ્યો

લખનૌ – ઉત્તરપ્રદેશની સરકાર અનેક જિલ્લાઓના નામ બદલી રહી છે તો કેટલાક જૂન કેદાઓમાં પરી વર્તન લાવી રહી છે ત્યારે હવે 115 વર્ષ જૂન એક કાયદાને યોગી સરકાર દ્વારા બદલવામાં આવ્યો છે . માહિતી પ્રમાણે આ કાયદો ઉર્દૂ ભાષા સાથે જોડાયેલો છે  વાત એમ છે કે ઉત્તર પ્રદેશમાં સબ-રજિસ્ટ્રારના પદ માટે પબ્લિક સર્વિસ કમિશનમાંથી પસંદ થયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code