Site icon Revoi.in

બદ્રીનાથ મંદિરમાં છ મહિના દેવતાઓ કરે છે પુજા

Social Share

બદ્રીનાથજીના કપાટ પરંપરાગત રીતે ખોલવામાં આવ્યા હતા. આ પ્રસંગે અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. બદ્રીનાથજીને ભગવાન વિષ્ણુનું બીજું ધામ પણ કહેવામાં આવે છે, તેથી તેને બીજું વૈકુંઠ પણ કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે, સતયુગ સુધી તમામ ભક્તો અહીં ભગવાન વિષ્ણુના દર્શન કરતા હતા. ત્રેતાયુગમાં અહીં માત્ર દેવતાઓ અને ઋષિઓ જ ભગવાનના દર્શન કરતા હતા. પરંતુ અહીં ત્રેતાયુગથી ભગવાને એવો નિયમ બનાવ્યો છે કે હવેથી દેવતાઓ સિવાય દરેકને મૂર્તિના રૂપમાં જ તેમના દર્શન થશે.

બદ્રીનાથજી વિશે એવી માન્યતા છે કે, અહીં ઉનાળામાં 6 મહિના લોકો અને શિયાળામાં 6 મહિના દેવતાઓ પૂજા કરે છે. દેવતાઓના પ્રતિનિધિ તરીકે, નારદજી શિયાળામાં બદ્રીનાથજીની પૂજા કરે છે અને જ્યારે દરવાજા બંધ હોય ત્યારે નારદજી અખંડ જ્યોતિને સળગાવી રાખે છે. જ્યારે બદ્રીનાથજીના દરવાજા ખોલવામાં આવે છે ત્યારે અહીં અખંડ જ્યોતિના દર્શનનું ખૂબ મહત્વ છે. અલૌકિક જ્યોતિના દર્શન કરવા માટે ભક્તો ખૂબ જ ભક્તિ અને શ્રદ્ધા સાથે અહીં આવે છે. એવી માન્યતા છે કે જે આ અખંડ અને અલૌકિક પ્રકાશને જુએ છે તે પાપમુક્ત થઈને મોક્ષનો અંશ બની જાય છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ બદ્રીનાથ મંદિરના કપાટ ખોલવામાં આવ્યાં છે, તેમજ ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યાં છે. દર વર્ષ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બદ્રીનાથજીના દર્શન કરવા આવે છે. ભક્તોની સુવિધાને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે.

Exit mobile version