Site icon Revoi.in

ભાવનગરમાં ત્રણ માળનું જર્જરીત મકાન ધરાશાયીઃ એકનું મોત

Social Share

અમદાવાદઃ ભાવનગરના ભાદેવાની શેરીમાં ત્રણ માળનું એક જર્જરીત મકાન ધરાશાયી થઈ ગયું હતું. જેમાં ક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે કાટમાળ નીચે ચાર વ્યક્તિઓ દબાયાં હતા. જેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા.

પ્રાથમિક માહિતી અનુસાર ભાવનગરમાં ભાદેવાની શેરીમાં એક ત્રણ માળનું મકાન ધરાશાયી થઈ ગયું હતું. જેના કાટમાળ નીચે ચારેક વ્યક્તિઓ દબાયાં હતા. આ બનાવને પગલે નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા.

આ બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બચાવ કામગીરી અડચણ રૂપ થતા લોકોને દૂર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે જુની ઈમારત હોવાથી દુર્ઘટના થઈ હોવાનું મનાઈ રહ્યું છે ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.