નવી દિલ્હી, 27 જૂન 2026: શનિવારે સવારે આસામમાં મધ્યમ તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ ભૂકંપ સવારે 4 કલાક અને 51 મિનિટએ અનુભવાયો હતો. ભૂકંપનીના આંચકાને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને ઘરની બહાર દોડી ગયા હતા.
ભારતીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 માપવામાં આવી હતી. તેનું કેન્દ્રબિંદુ આસામના કચર જિલ્લામાં ભૂગર્ભમાં આશરે 42 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપનું કેન્દ્રબિંદુ 24.94°N અક્ષાંશ અને 92.56°E રેખાંશ પર નોંધાયું હતું.
ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ગભરાટમાં ઘરની બહાર દોડી આવ્યા હતા. સદનસીબે, કોઈ જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને સતર્ક રહેવાની તાકીદ કરવામાં આવી છે

