Site icon Revoi.in

કર્ણાટક અને તમિલનાડુમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

Closeup of a seismograph machine earthquake

Social Share

બેંગલુરુ:કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં આજે સવારે ભૂકંપની માહિતી સામે આવી છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું હતું કે શુક્રવારે સવારે કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

NCS દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, શુક્રવારે સવારે 6:52 વાગ્યે આ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ટ્વિટર પરની એક પોસ્ટમાં, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે, ભૂકંપની તીવ્રતા: 3.1, 8-12-2023, 06:52:21 IST, અક્ષાંશ: 16.77 અને રેખાંશ: 75.87, ઊંડાઈ: 10 કિમી, સ્થાન: વિજયપુરા, કર્ણાટક હતું.”એનસીએસે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર 16.77 અક્ષાંશ અને 75.87 રેખાંશ પર હતું અને આંચકા 10 કિમીની ઊંડાઈએ આવ્યા હતા.

X પર માહિતી આપતા નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું હતું કે તમિલનાડુના ચેંગલપટ્ટુમાં સવારે લગભગ 7.39 વાગ્યે 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે શુક્રવારે સવારે અહીં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.ઉત્તર તેલંગાણા જિલ્લામાં સવારે 7.39 વાગ્યે ભૂકંપ આવ્યો હતો.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.