Site icon Revoi.in

ગુજરાતમાં ધો-10 અને ધો-12નું શિક્ષણકાર્ય સોમવારથી થશે શરૂ, વિદ્યાર્થીઓનું વેલકમ કીટથી કરાશે સ્વાગત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં તા. 11મીથી ધો-10 અને ધો-10ના વર્ગો સ્કૂલમાં ફરીથી શરૂ કરવામાં આવશે. જેને લઈને સ્કૂલ અને સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. શૈક્ષણિક કાર્ય પછી અને પહેલા વર્ગખંડ અને સ્કૂલ લોબીનું સેનીટાઇઝેશન ફરજિયાત કરવાનું રહેશે. આ ઉપરાંત સ્કૂલમાં વિદ્યાર્થીઓનું પ્રથમ દિવસે વેલકમ કિટથી સ્વાગત કરવામાં આવશે. જેમાં માસ્ક, સેનેટાઈઝર જેવી વસ્તુઓનો સમાવેશ થયો છે.

ગુજરાતના સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ સંચાલકોને વર્ગખંડમાં ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ અથવા એક વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યાની બે બેચ બનાવીને એક સપ્તાહમાં બંને બેચને અલગ-અલગ બોલાવવાની રહેશે. એક બેચ સપ્તાહના પ્રથમ ત્રણ દિવસ તો બીજી બેચ સપ્તાહના છેલ્લા ત્રણ દિવસ બોલાવીને શૈક્ષણિક કાર્ય કરવાની વ્યવસ્થા ગોઠવવાની તાકીદ કરવામાં આવી છે. ઓફલાઈન શિક્ષણ ન મેળવતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા કરવાની રહેશે. જે વિદ્યાર્થીઓના વાલીઓએ શાળા-કોલેજ આવવાની મંજૂરી આપી નથી તેવા તમામ વિદ્યાર્થીઓએ ઓનલાઇન શિક્ષણ લેવાનું રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે માર્ચ 2020થી સ્કૂલ-કોલેજો બંધ છે અને વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય ન બગડે તે માટે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. જો કે, કોરોનાનું સંક્રમણ ઘટડા સરકાર દ્વારા ધો-10 અને ધો-12 તથા પીજી અને યુજીના અંતિમ વર્ષનું શિક્ષણકાર્ય સ્કૂલમાં શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ આ વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાના બદલે જેટલો પણ અભ્યાસ કરાવવામાં આવ્યો છે એટલા અભ્યાસક્રમની પરીક્ષા લેવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.