Site icon Revoi.in

મોડાસામાં ખેડૂત અરવિંદભાઈ પટેલે હોળી માટે ખાસ કુદરતી રંગો બનાવ્યાઃ જુઓ વીડિયો

special natural colors for Holi

special natural colors for Holi

Social Share

મોડાસા, 27 ફેબ્રુઆરી, 2026 – special natural colors for Holi અરવલ્લી જિલ્લાના મોડાસામાં ખેડૂત અરવિંદભાઈ પટેલ દ્વારા આ વર્ષે હોળીના તહેવારને પર્યાવરણ અને આરોગ્યને અનુકૂળ બનાવવા માટે વિશેષ પ્રાકૃતિક રંગોનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. આ રંગો સંપૂર્ણપણે કુદરતી સામગ્રીમાંથી બનાવવામાં આવે છે, જેમાં કેસુડાના ફૂલો, સરગવાના ફૂલો, બીટ અને પાલક જેવા તાજા શાકભાજી તથા ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રાકૃતિક રંગો રાસાયણિક રંગોના હાનિકારક વિકલ્પ તરીકે ઉપલબ્ધ છે અને તેનો ઉપયોગ કરીને લોકો સુરક્ષિત અને આનંદથી હોળી રમી શકે છે.

આજના સમયમાં બજારમાં મળતા મોટા ભાગના હોળીના રંગોમાં કેમિકલ્સ, મેટલિક પાવડર અને અન્ય હાનિકારક તત્વોનો ઉપયોગ થતો હોવાથી ત્વચા પર એલર્જી, બળતરા, આંખોમાં બળતરા, શ્વાસની તકલીફ અને કેટલાક કિસ્સામાં ગંભીર નુકસાન પણ થતું જોવા મળે છે. ખાસ કરીને નાના બાળકોને આવા રંગોના સંપર્કમાં આવવાથી વધુ તકલીફ પડે છે.

અરવિંદભાઈ પટેલ જણાવે છે કે, “આ પ્રાકૃતિક રંગો ભૂલથી મોંમાં કે આંખોમાં જાય તો પણ કોઈ જોખમ નથી. તે ત્વચા માટે કોમળ છે, બાળકો માટે સંપૂર્ણ સુરક્ષિત છે અને પર્યાવરણને પણ કોઈ હાનિ પહોંચાડતા નથી. આ રંગો સરળતાથી પાણીથી ધોવાઈ જાય છે અને ત્વચા પર કોઈ ડાઘ કે અસર છોડતા નથી.”

જુઓ વીડિયો 

અરવિંદભાઈ પોતે પ્રાકૃતિક ખેતીના સમર્થક છે અને તેમના ખેતરમાં રાસાયણિક ખાતરો તથા જંતુનાશકો વગર જ ઉત્પાદન કરે છે. આ પ્રાકૃતિક રંગો તેમના આ જ પ્રયાસનું વિસ્તરણ છે, જેનાથી લોકોને હોળી જેવા તહેવારમાં પણ કુદરતી અને આરોગ્યપ્રદ વિકલ્પ મળે. આ રંગો વિવિધ રંગોમાં ઉપલબ્ધ છે – લાલ (બીટથી), લીલો (પાલકથી), પીળો (કેસુડા ફૂલથી) અને અન્ય કુદરતી શેડ્સ – જે હોળીની મજા વધારશે અને તહેવારને વધુ પર્યાવરણમિત્ર બનાવશે.

આ રંગો ક્યાંથી અને કેવી રીતે મળશે?

આ પ્રાકૃતિક રંગો મેળવવા માટે નીચેના સંપર્ક પર ફોન કરી શકાય છે: 7016694993. સરનામું: ધામ અરવલ્લી નેચરલ, KP હોસ્ટેલની બાજુમાં, શુભમ કોમ્પ્લેક્સ નીચે, શિવાલિંગ શોરૂમની પાછળ, મેઘરજ રોડ, મોડાસા.

અરવિંદભાઈ પટેલ તમામ નાગરિકોને આમંત્રણ આપે છે કે, “આ હોળી પ્રાકૃતિક રંગોથી રમીએ, આરોગ્ય અને પર્યાવરણનું ધ્યાન રાખીએ અને તહેવારને સાચા અર્થમાં આનંદમય બનાવીએ.” આ પહેલ ન માત્ર હોળીના તહેવારને સ્વસ્થ બનાવશે પરંતુ પ્રાકૃતિક ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપીને સ્થાનિક ખેડૂતોને પણ સમર્થન આપશે.

Exit mobile version