Site icon Revoi.in

નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલમાં 15 હજાર ક્યુસેક પાણી છોડાતા ખેડુતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ભર ઉનાળે સિંચાઈ માટેના પાણીના માગ વધતા સરદાર સરોવર નર્મદા ડેમના મુખ્ય કેનાલના ઝીરો પોઈન્ટના 5 નંબરના ગેઈટમાંથી 15 હજોર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. નર્મદાની મુખ્ય કેનાલ ઝીરી પોઈન્ટથી પાણી જે છોડાય રહ્યુ છે, જે કચ્છ સુધી પહોંચશે. મુખ્ય કેનાલ ઝીરો પોઈન્ટ એટલે કે નર્મદા ડેમનું સ્ટોરેજ પાણી છે જેને કેવડિયા સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વહન કરવા માટેનો મુખ્ય દ્વાર કહી શકાય.

ગુજરાત રાજ્યની જીવાદોરી નર્મદા ડેમમાં 1800 મિલિયન ક્યુબિક મીટર પાણી છે ત્યારે નર્મદા કેનાલ ઝીરો પોઈન્ટ કે જ્યાંથી કચ્છ સુધી પાણી જાય છે ત્યાંથી 8 હજારમાંથી 15 હજાર ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરી દેવાઇ છે. રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવાતા અખાત્રીજના પૂર્વ દિનથી પાણી ચાલુ કરવામાં આવતા ખેડૂતોને અખાત્રીજના દિવસથી ખેતરમાં પાણી મળતું થઈ ગયું છે. આ વર્ષે નર્મદા ડેમમાં ભરપૂર પાણી છે જેના કારણે સરકારે નર્મદા નું પાણી આપવાની જાહેરાત કરતા કેવડિયા આવેલા મુખ્ય કેનાલ ઝીરો પોઈન્ટ ના 5 ગેટ માંથી નર્મદા નું 15 હજાર ક્યુસેક પાણી છોડાતા ભર ઉનાળામાં નર્મદાની ભરપૂર જળ ઉછાળા મારતું વહી રહ્યું છે.નર્મદા ની મુખ્ય કેનાલ ઝીરી પોઈન્ટ થી પાણી જે છોડાય જે કચ્છ સુધી પહોંચે છે. મુખ્ય કેનાલ ઝીરો પોઈન્ટ એટલે કે નર્મદા ડેમનું સ્ટોરેજ પાણી છે જેને કેવડિયા સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વહન કરવા માટેનો મુખ્ય દ્વાર કહી શકાય.

ઉલ્લેખનીય સરદાર સરોવર નર્મદા ડેમમાં અત્યારે 1800 મિલિયન ક્યુબિક મીટર પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે.સરદાર સરોવર નર્મદા ડેમમાં 8000 ક્યુસેક પાણીની આવક છે જ્યારે ડેમ માંથી ગુજરાતના ખેડૂતો માટે મુખ્ય કેનાલ માંથી અગાઉ 8 હજાર ક્યુસેક પાણી છોડાતું હતું જે ડબલ કરીને અત્યારે 15,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેમાં હજુ વધારો કરવામાં આવે એવા એંધાણ છે. બીજી તરફ નર્મદા નદીના મુખ્ય વહેણને જીવંત રાખવા માટે 627 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. ઉનાળુ પાક માટે રાજ્યભરના ખેડૂતોને પાણીની ખૂબ જરૂરત છે. પહેલા 8800 ક્યુસેક પાણી બાદ બીજે દિવસે 15000 ક્યુસેક પાણી છોડાયું અને જો માંગ વધશે તો હજુ 20થી 25 હજાર ક્યુસેક પાણી છોડવાની ગણતરી છે. સારા ચોમાસાની હવામાન વિભાગની વાતને લઈ નર્મદા બંધ છલોછલ ભરાઈ એની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.