1. Home
  2. Tag "farmers"

ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ, ગરમીમાં મળી રાહત

અમદાવાદ, 30 મે 2026: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની આગાહી અક્ષરશઃ સાચી સાબિત થઈ રહી છે. લાંબા સમયથી કાળઝાળ ગરમી અને બફારાનો સામનો કરી રહેલા લોકોને મેઘરાજાની આગમનથી મોટી રાહત મળી છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લા બાદ હવે મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ શરૂ કરી દીધી છે. બંને જિલ્લાઓમાં […]

ખેડૂતો હવે ખેતરમાં 600 ચોરસ ફૂટ સુધીના પાક-સંગ્રહ સ્ટ્રક્ચર બનાવી શકશે

ગાંધીનગર, 27 મે, 2026 : Farmers will now be able to build crop-storage structures up to 600 square feet મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના ખેડૂત-હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ખેડૂતોનો પાક ખેતરમાં જ સુરક્ષિત રીતે જળવાઈ રહે તે હેતુથી […]

અરવલ્લીમાં વહેલી સવારથી વાતાવરણનો અચાનક પલટો, વરસાદે ખેડૂતોની ચિંતા વધારી

હેમંત પરમાર, અરવલ્લી 5 મે, 2026 – અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાત્રીના અંતિમ પ્રહર બાદ આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું અને ઠંડકભર્યો પવન ફૂંકાતા વાતાવરણમાં બદલાવ સ્પષ્ટ અનુભવાયો હતો. સવાર પડતા જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવાથી થોડોક વધુ વરસાદ વરસતાં લોકોમાં આશ્ચર્ય સાથે ચિંતા પણ જોવા મળી હતી. જિલ્લાના મોડાસા, […]

અમદાવાદઃ ફત્તેહવાડીના ખેડૂતોની માંગ સંતોષવા સાબરમતી ખાલી કરવાનો નિર્ણય મોકૂફ રખાયો

અમદાવાદ, 4 એપ્રિલ 2026: સાબરમતી નદી પર આવેલા ઐતિહાસિક વાસણા બેરેજના દરવાજા બદલવા અને સુભાષબ્રિજના રિપેરીંગની કામગીરીમાં મોટો અવરોધ ઉભો થયો છે. અગાઉ 1લી એપ્રિલથી નદી ખાલી કરી કામ શરૂ કરવાનું આયોજન હતું, પરંતુ ચૂંટણીના માહોલ વચ્ચે ફત્તેહવાડી વિસ્તારના ખેડૂતોની સિંચાઈના પાણીની માંગણી સ્વીકારી લેવામાં આવતા હવે 15મી એપ્રિલ બાદ જ નદી ખાલી કરી શકાશે. […]

આણંદ કૃષિ યુનિવર્સિટીના ખાંધા કેન્‍દ્ર દ્વારા ખેડૂતો માટે પ્રેરણા પ્રવાસ

આણંદ, 28 માર્ચ, 2026 – આણંદ કૃષિ યુનિવર્સિટીના ખાંધા કેન્‍દ્ર દ્વારા ખેડૂતો માટે પ્રેરણા પ્રવાસનું આયોજન થયું હતું. નર્મદા પિયત સંશોધન યોજના, આણંદ કૃષિ યુનિવર્સિટી, ખાંધા કેન્‍દ્ર દ્વારા સરદાર સરોવર પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા જીલ્લાના વણછરા ગામના 47 ખેડૂતોને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી ખાતે પ્રેરણા પ્રવાસે લઇ જવામાં આવ્યા હતા. પ્રેરણા પ્રવાસની શરૂઆત કરાવતી વખતે ખાંધા […]

ખાતરની સંગ્રહખોરી – કાળાબજાર ઉપર એક્શન, ખેડૂતોનાં હિતના રક્ષણ માટે 6900 લાયસન્સ રદ

સરકારે ફોસ્ફેટિક અને પોટાસિક (P&K) ખાતરો માટે ન્યુટ્રિએન્ટ-બેઝ્ડ સબસિડી (NBS) યોજના અમલમાં મૂકવાનું ચાલુ રાખ્યું છે નવી દિલ્હી, 27 માર્ચ, 2026 – ભારત સરકારે ખાતરની સંગ્રહખોરી, ડાયવર્ઝન અને કાળાબજારને રોકવા માટે કડક અમલીકરણના પગલાં હાથ ધર્યા છે. આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં, રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી શ્રીમતી અનુપ્રિયા એસ. પટેલે માહિતી આપી હતી કે […]

ઘણા ખેડૂતોની આવક બમણી થઈ છે: શિવરાજ સિંહ ચૌહાણ

નવી દિલ્હી, 24 માર્ચ 2026: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે લોકસભામાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દરેક પરિસ્થિતિમાં ખેડૂતોને તેમના ઉત્પાદન માટે વાજબી ભાવ આપવા માટે પ્રતિબદ્ધ છે અને અન્નદાતાને સંકટમાંથી બચાવવા માટે કોઈ કસર છોડવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે NDA સરકારે […]

ગુજરાતમાં ૨૩ ફેબ્રુઆરીથી તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે

તુવેરના ટેકાના ભાવે વેચાણ માટે રાજ્યના ૧.૩૩ લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી ગાંધીનગર, 19 ફેબ્રુઆરી, 2026 – Purchase of tur at support price વિધાનસભા સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે રાજ્ય સરકાર કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા. ૨૩ ફેબ્રુઆરી, […]

PM-કિસાન યોજના હેઠળ 4 લાખ કરોડથી વધુનું વિતરણ: કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 21 હપ્તાઓ દ્વારા દેશના ખેડૂતોને ચાર લાખ કરોડ રૂપિયાથી વધુનું વિતરણ કર્યું છે. આ યોજના ભારતીય કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોના કલ્યાણ માટે સરકારની મુખ્ય પહેલ રહી છે. તેમ લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ […]

કેન્દ્રએ MSPપર 1223 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્ન ખરીદવા માટે ખેડૂતોને 3.47 લાખ કરોડ રૂપિયા સીધા ચૂકવ્યા

નવી દિલ્હીઃ કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે (2 ડિસેમ્બર) સંસદમાં માહિતી આપી હતી કે કેન્દ્રએ 2024-25 પાક વર્ષ દરમિયાન લઘુત્તમ ટેકાના ભાવ (MSP)પર 1223 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્ન ખરીદવા માટે ખેડૂતોને 3.47 લાખ કરોડ રૂપિયા સીધા ચૂકવ્યા છે. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે દર વર્ષે, સરકાર સંબંધિત રાજ્ય સરકારો અને કેન્દ્રીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code