Site icon Revoi.in

કચ્છના નાના રણમાં મીઠું પકવવા ગયેલા અગરિયાઓ વરસાદને લીધે ટ્રેકટર સાથે રેતીમાં ફસાયાં

Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં પાટડી-ખારાધોડાથી લઈને મોરબીનો હળવદ સહિતનો કેટલાક વિસ્તારનો કચ્છના નાના રણ તરીખે ઓળખાય છે. આ વિસ્તારમાં અગરિયાઓ કાળી મજુરી કરીને મીઠું પકવીને રોજી રોટી મેળવે છે. આમ તો શિયાળો અને ઉનાળો એમ આઠ મહિના મીઠાની ખેતી થતી હોય છે. પરંતુ ચોમાસામાં રણ વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે અગરિયાઓ રણ વિસ્તારમાં જતાં નથી. પરંતુ આ વખતે મીઠાના ભાવ સારા મળતા હોવાથી અગરિયાઓ રણમાં ભરાયેલા છીછરા પાણીમાં મીઠું પકવવા માટે પહોંચી ગયા હતા. દરમિયાન વરસાદ પડતા હજારો અગરિયા પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા.અને ટ્રેક્ટરોમાં બેસીને પરત ફરી રહ્યા હતા. ત્યારે ટ્રેક્ટરો પણ રેતીમાં ફસાઈ ગયા હતા.

કચ્છના નાના રણમાં અગરિયા પરિવારો આ વર્ષે વહેલા ઉતર્યા હતા. જેમાં રણમાં વરસાદની સાથે રૂપેણના પાણી ફરી વળતા અસંખ્ય પરિવારો રણમાં ફસાયા હતા. જેમાં છઠ્ઠીના સરકારી રણમાં વરસાદના પગલે અગરિયા પરિવારો ત્રણ ટ્રેક્ટરો સાથે છેલ્લા ત્રણ દિવસથી ફસાયા હતા. રણકાંઠાના ગામડાના અંદાજે 2000 અગરિયા પરિવારો દર વર્ષે ઓક્ટોબરથી મે માસ દરમિયાન પોતાના પરિવારજનો સાથે રાત દિવસ કાળી મજૂરી દ્વારા મીઠું પકવવાનું આકરૂ કામ કરે કરે છે. એવામાં ગત વર્ષે અગરિયા પરિવારો રણમાં મીઠું પકવવા મોડા પહોંચ્યા હતા. આથી રણમાં મીઠું પકવવાની સીઝન મોડી શરૂ થઇ હતી. આથી આ વર્ષે અગરિયા પરિવારો રણમાં મીઠું પકવવા વહેલા ઉતર્યા હતા. જેમાં રણમાં વરસાદની સાથે રૂપેણ નદીના પાણી ફરી વળતા અસંખ્ય પરિવારો રણમાં ફસાયા હતા. જેમાં છઠ્ઠીના સરકારી રણમાં વરસાદના પગલે રાજુભાઇ સહિતના અગરિયા પરિવારો ત્રણ ટ્રેક્ટરો સાથે છેલ્લા ત્રણ દિવસથી ફસાયા હતા. એમને મહામહેનતે ત્રણથી ચાર દિવસની મથામણ બાદ બહાર કાઢવામાં આવ્યાં હતા. આથી રણમાં ફસાયેલા અગરિયા પરિવારોના જીવમાં જીવ આવ્યો હતો. ત્યારે રણમાં આ વર્ષે પણ વરસાદના પગલે મીઠું પકવવાની સીઝન મોડી શરૂ થવાની નોબત આવી છે. જ્યારે આ વર્ષે રણમાં મીઠું પકવતા અગરિયાઓને રણ બેઠા મીઠાના સારા ભાવ મળતા અગરિયાઓ રણમાં મીઠું પકવવા વહેલા ઉતર્યા હતા. ત્યાં વરસાદ ફરી આ વર્ષે પણ વિલન બનીને આવ્યો હતો.