Site icon Revoi.in

ભાવનગર-અમદાવાદ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં પાંચના મોત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં રોજબરોજ રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે ભાવનગર પાસે દુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો.  ભાવનગર-અમદાવાદ વાયા ધોલેરા હાઈવે પર ભાવનગર નજીક અધેલાઇ પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાળક સહિત 5 લોકોના કમકમાટીભર્યા મોત નીપજયા હતા.ઘટનાને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા હાઈવે રકત રંજીત બન્યો હતો.

ભાવનગર-અમદાવાદ હાઈવે પર ભાવનગરના અધેલાઈ નજીક રવિવારે રાત્રે 10 વાગ્યા આસપાસ પૂરફાટ ઝડપે આવતી કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા બાળક સહિત 5 લોકોના કમકમાટીભર્યા મોત નીપજયા હતા. ઘટનાને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા રકત રંજીત બન્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનારો પરિવાર અમદાવાદના વિરાટનગરનો હોવાનું જાણવા મળ્યુ છે.

ભાવનગર હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા સ્થાનિકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. અને નારી 108ની ટિમ તેમજ પોલીસે દોડી જઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિકોની મદદથી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા,દરમિયાન પોલીસ સૂત્રોના કહેવા મુજબ પાલીતાણા મહાતિર્થના દર્શન કરી અને પરત અમદાવાદ જઈ રહેલ જૈન પરિવારને અકસ્માતનો ભોગ બન્યો હતો.  જેમાં એક 10 થી 12 વર્ષની ઉંમરનું બાળક છે. અને એક આધાર કાર્ડ મળ્યું છે જેમાં મહાવીર કુમાર રતનલાલ જૈન જે અમદાવાદના વિરાટ નગરનો પરિવાર હોવાનું જાણવા મળ્યુ છે.