Site icon Revoi.in

નડિયાદ નજીક માર્ગ અકસ્માતના એક પરિવારના ચાર સભ્યોના મોતઃ બે વ્યક્તિઓ ઘાયલ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન ખેડાના મહુધા રોડ ઉપર મંગળપુર પાટિયા પાસે સર્જાયેલા અકસ્માતમાં ચાર વ્યક્તિઓના કરૂણ મોત થયાં હતા. સંતરામપુરનો પરિવાર માતાજીના દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હતી. માર્ગ અકસ્માતની આ ઘટનામાં બે વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર મહિસાગરના સંતરામપુરમાં રહેતા ભોઈ પરિવાર દર્શન કરવા માટે મલાતજ ગામમાં માતાજીના મંદિર જઈ રહ્યાં હતા. તેમની કાર નડિયાદના મહુધા રોડ ઉપર મંગળપુર પાટિયા પાસેથી પસાર થતી હતી. દરમિયાન તેમની મોટરકાર કન્ટેનર સાથે અથડાયું હતું. અકસ્માત બાદ મોટરકાર પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે કારમાં સવાર પ્રવાસીઓની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. અકસ્માતગ્રસ્ત મોટરકારની અંદર છ વ્યક્તિઓ પ્રવાસ કરી રહ્યાં હતા. આ દૂર્ઘટનામાં સુરેશ અંબાલાલ ભોઈ, રાજુભાઈ શનાભાઈ ભોઈ, સંજુ બારૈયા અને સંજય દિલીપભાઈ ભોઈનું મોત થયું હતું. જ્યારે જીતુભાઈ ભુલાભાઈ ભોઈ અને આકાશ ડબગરને ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા.

આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બચાવ કામગીરી આરંભી હતી. પોલીસ દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. અકસ્માતના પગલે આસપાસના લોકો પણ સ્થળ પર દોડી ગયા હતા. અકસ્માતની આ ઘટના અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માર્ગ અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત થતા સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી