આજના દોડધામભર્યા જીવનમાં લોકો નાની-મોટી બીમારીઓ માટે દવાઓ પર નિર્ભર રહેતા થયા છે. જોકે, સ્વાસ્થ્ય નિષ્ણાતો અને આપણા વડવાઓના મતે કુદરતી ફળો કોઈ પણ દવા કરતા ઓછા નથી. ફળો માત્ર સ્વાદ જ નથી આપતા, પરંતુ શરીરમાં વિટામિન, મિનરલ્સ અને એનર્જીનો ખજાનો ભરે છે. સલાડ કે સ્મૂધી તરીકે ફળોનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર વધારો થાય છે.
- કયા ફળો તમારા શરીર માટે ‘દવા’ સમાન છે?
બ્લૂબેરી (હૃદય માટે વરદાન) : બ્લૂબેરી ભલે કદમાં નાની હોય, પરંતુ તે એન્ટી-ઓક્સિડન્ટ્સનો પાવરહાઉસ છે. તે શરીરમાં સોજો ઘટાડે છે અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. તેમાં રહેલું વિટામિન-C ત્વચાને પણ નિખારે છે.
કેળું (પાચન અને બ્લડ પ્રેશર માટે) : દરેક ઘરમાં સરળતાથી ઉપલબ્ધ કેળું ફાઇબર અને પોટેશિયમથી ભરપૂર હોય છે. તે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
સ્ટ્રોબેરી (વિટામિન-C નો ભંડાર) : સંતરા કરતા પણ વધુ વિટામિન-C જો જોઈતું હોય, તો માત્ર 7-8 સ્ટ્રોબેરી કાફી છે. તે ઈમ્યુનિટી વધારવા સાથે ત્વચામાં કુદરતી ચમક લાવે છે.
ગ્રેપફ્રૂટ અને તરબૂચ (હાઇડ્રેશનનો શ્રેષ્ઠ સ્ત્રોત): તરબૂચમાં 90 ટકાથી વધુ પાણી હોય છે, જે ઉનાળામાં કે શિયાળામાં બોડીને ડિહાઇડ્રેશનથી બચાવે છે. જ્યારે ગ્રેપફ્રૂટ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખે છે.
એવોકાડો અને કીવી (અદભૂત ફાયદા) : એવોકાડોમાં રહેલું ‘ગુડ ફેટ’ વજન ઘટાડવામાં અને શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તો બીજી તરફ, કીવી હૃદય અને પાચન માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે.
સફરજન અને દાડમ (સર્વશ્રેષ્ઠ ફળો) : કહેવાય છે કે “દિવસનું એક સફરજન ડોક્ટરથી દૂર રાખે છે.” સફરજન ફાઇબરથી ભરપૂર છે, જે હૃદય અને પાચન સુધારે છે. જ્યારે દાડમ લોહીનું પ્રમાણ વધારવા અને શરીરમાં સોજો ઘટાડવામાં અકસીર છે.
- કેવી રીતે કરશો સેવન?
સલાડ: બપોરના ભોજન પહેલા ફળોનું સલાડ લેવું શ્રેષ્ઠ છે.
સ્મૂધી: સવારના નાસ્તામાં દૂધ કે દહીં સાથે ફળોની સ્મૂધી બનાવી શકાય.
નેચરલ જ્યૂસ: પેકેજ્ડ જ્યૂસના બદલે ઘરે બનાવેલા તાજા ફળોના રસને પ્રાધાન્ય આપો.
જો તમે ડાયાબિટીસ કે અન્ય કોઈ ગંભીર બીમારીથી પીડાતા હોવ, તો ફળોના સેવનની માત્રા વિશે ડોક્ટરની સલાહ ચોક્કસ લેવી.

