Site icon Revoi.in

હરિદ્વારઃ ગંગા નદીમાં શ્રાવણ મહિનામાં અત્યાર સુધીમાં 18 કાવડિયા તણાયા, તમામને બચાલી લેવાયાં

Social Share

લખનૌઃ ઉત્તર ભારતમાં હાલ હિન્દુઓના પવિત્ર મહિના શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને મોટી સંખ્યામાં સાવડિયાઓ હરિદ્વાર જઈ રહ્યાં છે. તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગામાં સ્થાન કરે છે. દરમિયાન ગંગા નદીમાં 18 જેટલા કાવડિયા તણાતા ખળભળાટ મચી ગયો હતો. જો કે, સ્થળ પર હાજર સ્થાનિક પોલીસ અને સેનાના જવાનોએ તમામ કાવડિયાને બચાવી લેવામાં આવ્યાં હતા.

શ્રાવણ મહિના દરમિયાન કાવડયાત્રા માટે ઉત્તરાખંડના હરિદ્વારમાં ભક્તોની ભારે ભીડ આવી રહી છે. હરિદ્વારમાં ગંગામાં સ્નાન કરવા માટે દરરોજ ભક્તોનો ધસારો રહે છે. રાજ્યમાં સતત વરસાદને કારણે ગંગા નદીના જળ સ્તરમાં ઝડપથી વધારો થયો છે. જેના કારણે નદીમાં જોરદાર પ્રવાહ વહી રહ્યો છે.

ઝોનલ મેજિસ્ટ્રેટ નરેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, સેનાની ટીમે અત્યાર સુધીમાં 18 કાવડિયાઓને બચાવી લીધા છે. અમે ઘાટ પરના લોકોને તેજ પ્રવાહમાં ન જવાની અપીલ પણ કરીએ છીએ. ગઈકાલે પણ એક મહિલા તણાઈ ગઈ હતી જેને બચાવી લેવામાં આવી હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ગંગામાં પાણીના જોરદાર પ્રવાહના કારણે કાવડિયાઓ તણાઇ ગયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે. નદીના પ્રવાહમાં કાવડિયાઓ તણાઇ રહ્યા છે. બાદમાં સેના અને SDRF ટીમના કેટલાક સભ્યો તેમને બચાવવા નદીમાં કૂદી પડ્યા હતા. જે બાદ વહેતા યુવકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.