Site icon Revoi.in

હોળીનો દિવસ આ 5 રાશિઓ માટે રહેશે બેહદ શુભ, ચંદ્રગ્રહણના પ્રભાવથી ચમકશે આ રાશિઓના જાતકનું ભાગ્ય

Social Share

હોલિકા દહન 24 માર્ચે અને ધૂળેટી 25 માર્ચે અથવા તો ઘણાં સ્થાનો પર 26 માર્ચે મનાવવામાં આવશે. કાશીમાં ધૂળેટી 25 માર્ચે છે. જ્યોતિષાચાર્ય પંડિત માર્કંડેય દુબેએ કહ્યુ છે કે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. પરંતુ તેનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે. સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વીના આવવાથી ચંદ્રગ્રહણ થાય છે. આ દરમિયાન પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે. ગ્રહણનો દેશદુનિયા પર શુભ અને અશુભ એમ બંને પ્રકારનો પ્રભાવ પડે છે. હોલિકાદહન શુભમુહૂર્ત આ વખતે 24 માર્ચે રાત્રે 10.28 કલાક બાદ ભદ્રા નક્ષત્રના સમાપ્ત થયા બાદ થશે. જ્યારે 25 માર્ચના દિવસે 11.31 વાગ્યે પૂર્ણિમાનો સંયોગ છે. માટે 25 માર્ચે શાસ્ત્રસંમત રંગોની હોળી નહીં થાય. 25 માર્ચે હોળી પર આ ચંદ્રગ્રહણની સમાપ્તિનો સંપૂર્ણ સમયગાળો 4 કલાક અને 26 મિનિટ હશે.

હોળી પર 5 રાશિઓ પર પડશે શુભ પ્રભાવ-

મેષ રાશિ-

મેષ રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ શુભ સાબિત થઈ શકે છે. નોકરી અથવા વેપારના વિભિન્ન પ્રયાસોમાં સફળતાની ઉચ્ચ સંભાવના છે. તેના સિવાય તમારા સંબંધ, વિશેષ કરીને તમારા જીવનસાથી સાથે, પ્રગાઢતા માટે તૈયાર છે.

વૃષભ રાશિ-

વૃષભ રાશિના જાતકોને ધન લાભ થવાના યોગ બનશે. વેપારમાં સાવધાની સાથે કામ કરવું પડશે. પરંતુ આ પણ યોગ્ય છે કે બેગણો લાભ થશે. નોકરીમાં પ્રગતિ કરશો

સિંહ રાશિ-

સિંહ રાશિના જાતકોને સુખની પ્રાપ્તિ થશે. આ ચંદ્રગ્રહણ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. જો કે જો તમે તમારો વ્યવહાર ઠીક નહીં રાખ્યો, તો તેના મિશ્રિત પરિણામ આવવાની પણ સંભાવના છે. તમારા કાર્યોની પ્રશંસા થશે. સંતાન સંબંધિત ચિંતા પણ સતાવી શકે છે. દાનપુણ્ય કરો. નોકરી અને વ્યાપારમાં સારું પ્રદર્શન કરો.

ધન રાશિ-

ધન રાશિના જાતકોના કાર્યોમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ અને પ્રતિસ્પર્ધી પરીક્ષામાં ભાગ લેનારાઓને સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે. પરંતુ આકરી મહેનત કરવી પડશે. નોકરીમાં સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે.

મકર રાશિ-

મકર રાશિના જાતકોને ધનલાભ થવાના યોગ બનશે. વાહન ખરીદવા માંગો છો તો આ દ્રષ્ટિએ ચંદ્રગ્રહણ અનુકૂળ રહેશે. નોકરીમાં સકારાત્મક પરિણામ જોવા મળશે. જો કે સંબંધોને લઈને થોડો વિવાદ રહેશે.

(ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે એ દાવો કરતા નથી કે તે સંપૂર્ણપણે સત્ય અને સટીક છે. વિગતવાર અને વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના વિશેષજ્ઞની સલાહ જરૂર લો)