Site icon Revoi.in

પેસેન્જર ટ્રેન ઉપરાંત હવે માલગાડીની સ્પીડ વધારવાનો દ્રઢ નિર્ધાર PM મોદીએ વ્યક્ત કર્યો

Social Share

અમદાવાદઃ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપ્યા બાદ ટ્રેનમાં મુસાફરી કરીને અમદાવાદ આવ્યાં હતા. તેમણે અમદાવાદમાં પણ મેટ્રો રેલને લીલીઝંડી બતાવીને શુભારંભ કરાવ્યો હતો. દરમિયાન તેમણે સભામાં કહ્યું હતું કે, દેશમાં ટ્રેનોની ઝડપને વધારવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. ભારત ગતિની સાથે ઈન્ફ્રાસ્ટ્રકચરમાં પણ વિકાસ કરી રહ્યો છે. આમ ભારત હાલ દુનિયામાં પોતાની એક અલગ જ જગ્યા બનાવી રહ્યું છે. તેમજ આગામી દિવસોમાં માલગાડીની ગતિ વધારવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, કાલુપુર ઉપરાંત સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે. ઈ-બસના સંચાલન અને ઉપયોગ માટે યોજના શરૂ કરવામાં આવી છે. જેથી પ્રદુષણ ઘટવાની સાથી ગતિ પણ મળે. આ યોજના હેઠળ દેશમાં 7 હજાર બસોને મંજુરી આપવામાં આવી છે. જે માટે સાડા ત્રણ હજાર કરોડ સરકાર ખર્ચ કરી રહી છે. ગુજરાતમાં 850 જેટલી ઈ-બસને મંજુરી આપવામાં આવી છે.

તેમણે વધુમાં કહ્યું કે, ટ્રેનને ગતિ આપવાના અત્યાર સુધી પ્રયાસો થયાં નથી, પરંતુ હાલની સરકાર ગતિને વધારે મહત્વ આપી રહી છે. ટ્રેનોની ગતિ વધારવાના પ્રયાસ થયા છે. આજે વંદેભારત ટ્રેન ઝડપથી ચલાવવા આવી રહી છે. વંદેભારત ટ્રેન માત્ર 52 સેકન્ડમાં 100 પ્રતિકલાકની ગતિ ઝડપી લે છે. દેશના અનેક રાજ્યો માનવ રહિત ફાટકથી મુક્ત થયાં છે. આગામી દિવસોમાં માલગાડીની સ્પીડ પણ વધશે. માલગાડીની સ્પીડ વધવાની સાથે ગુજરાતના બંદરો ઉપર ઝડપથી કામ થશે. આપણો માલ એક્સપોર્ટ થશે અને વિદેશથી આવતો માલ ઝડપથી અન્ય જગ્યાએ મોકલી દેવામાં આવશે. ઝડપની સાથે ઈન્ફ્રાસ્ટરમાં પણ વિકાસ કરવામાં આવ્યો છે. ભારત હાલ દુનિયામાં પોતાની જગ્યા બનાવી રહ્યું છે. વિકસીત ભારતના નિર્માણ માટે ઈન્ફ્રાક્ટરને વધારે ગતિ આપવી પડશે. સરકાર આ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજનો દિવસ મહત્વપૂર્ણ છે. ધો 9,10,11,12 ના વિદ્યાર્થીઓ, એન્જિનીયરીંગના વિદ્યોર્થીઓ મેટ્રો રેલ અંગે અભ્યાસ કરે તે મહત્વનું છે. કામ કેવી રીતે અને કેટલા સમયમાં થયું અને કેવી ટેકનોલોજીનો ઉપયોગ થયો છે, તેની જાણકારી વિદ્યાર્થીઓને મળવી જોઈએ. સ્કૂલ સંચાલકો વિદ્યાર્થીઓને મેટ્રો સ્ટેશનની મુલાકાત કરાવે અને તેમને માર્ગદર્શન આપે છે. જેથી તેમને વિશ્વાસ થશે કે ટેકનોલોજીનું કેટલુ મહત્વનું છે. જેથી કોઈ આંદોલનમાં યુવાનો આવી સરકારી મિલકતને નુકશાન નહીં કરે. વિદ્યાર્થીઓને મેટ્રોની વ્યવસ્થા સમજાવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓ દેશના વિકાસ માટે સ્વપ્ન જોશે.