Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાના 10,150 કેસ નોંધાયા, અમદાવાદમાં 3264 કેસ, 8 ના મોત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં શનિવારે આંશિક ઘટાડો થયા બાદ આજે રવિવારે વધારો થયો છે.  આજે રવિવારે રાજ્યમાં કોરોનાના 10,150  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 3264 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે આઠ વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર-2, રાજકોટ શહેર, અને ભાવનગર શહેરમાં બે-બે, તથા વડોદરા, અને તાપીમાં એક-એકનો સમાવેશ થાય છે  સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. રાજ્યમાં  નોંધાતા કોરોનાના કેસોના પોઝિટિવિટી રેટમાં અમદાવાદ અને સુરત બાદ વડોદરા આવે છે, રાજ્યમાં આજે સાંજના 5 વાગ્યા સુધીમાં 1,38,536   લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,47,98,818 લોકો વેક્સિનેશન થયેલા છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 92.04 છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં શનિવારે આંશિક ઘટાડો નોંધાયા બાદ આજે રવિવારે કોરોનાના કેસમાં વધારો થયો હતો. ગઈકાલે શનિવારે રાજ્યમાં કોરોનાના 9.177  કેસ નોંધાયા હતા. આજે રવિવારે 10,150 કેસ નોંધાતા 973 કેસનો વધારો થયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં ગઈકાલે શનિવારે 2621 કેસ નોંધાયા હતા. જ્યારે આજે રવિવારે 3264 કેસ નોંધાતા 643 કેસનો વધારો થયો છે.  રાજ્યમાં આજે 6,096 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ 63610 છે.જેમાં વેન્ટીલેટર પર 83 દર્દીઓ છે. જ્યારે સ્ટેબલ દર્દીઓ 63527 છે,

ગુજરાતમાં કોરોનાના આજે 10,150 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 3264 કેસ, સુરત શહેરમાં 2464 કેસ, વડોદરા શહેરમાં 1151  કેસ, આણંદમાં 114  કેસ, કચ્છમાં 157 કેસ, રાજકોટ શહેરમાં 378 કેસ, ખેડામાં 35, કેસ  ભરૂચમાં 130  કેસ, અમદાવાદ જિલ્લામાં 51 કેસ, ગાંધીનગર શહેરમાં 203  કેસ, અને જિલ્લામાં 61,રાજકોટ જિલ્લામાં 89 કેસ, ભાવનગર શહેરમાં 322 કેસ અને જિલ્લામાં 54 કેસ, જામનગર શહેરમાં 202 કેસ, તેમજ સાબરકાંઠામાં 15 અને બનાસકાંઠામાં 54 કેસ નોંધાયા હતા. કોરોનાને લીધે આજે આઠના મોત નિપજ્યા હતા.જેમાં અમદાવાદ-2 અને રાજકોટ અને ભાવનગરમાં બે-બે, તથા વડોદરા અને તાપીમાં એક-એકનો સમાવેશ થાય છે.