Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાના 20966 કેસ નોંધાયા, અમદાવાદમાં 8391 કેસ, 12 ના મોત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં  ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.  આજે બુધવારે રાજ્યમાં કોરોનાના 20966  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 8391 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે 12 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર-6, સુરત-1 વલસાડ-2 ભરૂચ-1, સાબરકાંઠા-2 નો સમાવેશ થાય છે.  સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. રાજ્યમાં  નોંધાતા કોરોનાના કેસોના પોઝિટિવિટી રેટમાં અમદાવાદ અને સુરત બાદ વડોદરા આવે છે, રાજ્યમાં આજે સાંજના 5 વાગ્યા સુધીમાં 2,02,592   લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,55,82,092 લોકો વેક્સિનેશન થયેલા છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 89.67 છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગઈકાલે મંગળવારે રાજ્યમાં કોરોનાના 17,119  કેસ નોંધાયા હતા. આજે બુધવારે 20966 કેસ નોંધાતા 3,847 કેસનો વધારો થયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં ગઈકાલે મંગળવારે 5998 કેસ નોંધાયા હતા. જ્યારે આજે બુધવારે 8391 કેસ નોંધાતા 2,393 કેસનો વધારો થયો છે.  રાજ્યમાં આજે 9828 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ 90726 છે. જેમાં વેન્ટીલેટર પર 125 દર્દીઓ છે. જ્યારે સ્ટેબલ દર્દીઓ 90601 છે,

ગુજરાતમાં કોરોનાના આજે 20966  કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 8391 કેસ, સુરત શહેરમાં 3318 કેસ, વડોદરા શહેરમાં 1998  કેસ, આણંદમાં 247  કેસ, કચ્છમાં 194 કેસ, રાજકોટ શહેરમાં 1259 કેસ, ખેડામાં 168, કેસ  ભરૂચમાં 302  કેસ, અમદાવાદ જિલ્લામાં 138 કેસ, ગાંધીનગર શહેરમાં 446  કેસ, અને જિલ્લામાં 178, રાજકોટ જિલ્લામાં 127 કેસ, ભાવનગર શહેરમાં 526 કેસ અને જિલ્લામાં 44 કેસ, જામનગર શહેરમાં 255 કેસ, તેમજ સાબરકાંઠામાં 54 અને બનાસકાંઠામાં 240 કેસ નોંધાયા હતા. કોરોનાને લીધે આજે  બારના મોત નિપજ્યા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં -6 અને સુરતમાં-1,  વલસાડમાં-2 ભરૂચમાં-1,  અને સાબરકાંઠામાં -2નો સમાવેશ થાય છે.

 

Exit mobile version