Site icon Revoi.in

મૉસ્કોમાં વિદેશ મંત્રીઓની મુલાકાત પૂર્વે પેંગોંગમાં થયો હતો ગોળીબાર – રિપોર્ટ

Social Share

ભારત અને ચીનની વચ્ચે પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર તણાવ સતત વધી રહ્યો છે. આ વચ્ચે LAC પર ફાયરિંગને લઇને નવા ખુલાસા થયા છે. એક રિપોર્ટ અનુસાર રશિયાના મોસ્કોમાં 10 સપ્ટેમ્બરે વિદેશમંત્રી એસ.જયશંકર અને તેમના ચીની સમકક્ષ વાંગ યીની મુલાકાત પહેલા પેંગોંગ તળાવના ઉત્તર કિનારાની પાસે બંને સેનાઓ વચ્ચે ગોળીબાર થયો હતો. એક અધિકારી અનુસાર, જે જગ્યાએ ફિંગર-3 અને ફિંગર-4 મળે છે ત્યાં બંને પક્ષે 100-200 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, બંને દેશોની સેનાઓ ફિંગર વિસ્તારમાં પોતાની પકડ મજબૂતરાખવા માટે પેટ્રોલિંગ કરી રહી છે. જો કે આ મામલે ન તો ચીન કે ન તો ભારત તરફથી કોઇ અધિકૃત નિવેદન સામે આવ્યું છે. આ પહેલા ચુશૂલ સેક્ટરમાં થયેલા ફાયરિંગની ઘટના પર બંને દેશોમાં તણાવ વધ્યો હતો. હાલની જે ફાયરિંગ હતી તે ચુશુલમાં થયેલી ફાયરિંગ કરતાં ભીષણ હતી.

રિપોર્ટ મુજબ અધિકારીએ જણાવ્યું કે ભારત અને ચીની સેનાની વચ્ચે એલએસી પર એક મહિનામાં ત્રણ વાર ફાયરિંગની ઘટના થઇ ચૂકી છે. હજી સુધી ખાલી ચુશૂલ સેક્ટરમાં થયેલી ફાયરિંગ મામલે અધિકૃત નિવેદન બંને દેશોની સરકારો તરફથી આવ્યા છે. ઓગસ્ટમાં મુકપરીમાં પણ ફાયરિંગની ઘટના થઇ હતી. પણ તેના વિષે કોઇ નિવેદન બહાર નથી આવ્યું. હવે પેન્ગોંગના ઉત્તરી કિનારે પણ 100-200 રાઉન્ડ ફાયર થયા છે. પણ બંને દેશોમાંથી કોઇ પણ આની પર અધિકૃત નિવેદન નથી આપી રહ્યું.

નોંધનીય છે કે, અધિકારી અનુસાર પેન્ગોંગ તળાવના ઉત્તરી કિનારે પર ફાયરિંગ કેવી રીતે શરૂ થયું. સપ્ટેમ્બરની શરૂઆતમાં ભારતીય સેના પેન્ગોંગ સોના ઉત્તરી કિનારે પોતાની પોઝિશન બદલી રહી હતી. ચીની સેનાઆ જગ્યાએ ખાલી 500 મીટરની દૂરી પર છે. અને બંને વચ્ચે ફાયરિંગ શરૂ થઇ ગયું.

(સંકેત)