Site icon Revoi.in

તુર્કીએ ભર્યું એવું પગલું કે તેનાથી ઇસ્લામિક અને પશ્વિમી દેશો વચ્ચે તણાવ વધશે

Social Share

નવી દિલ્હી: તુર્કીએ એવી હરકત કરી છે જેનાથી તેના અન્ય દેશોના સંબંધો બગડે તેવી સ્થિતિ સર્જાઇ છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને અમેરિકા, જર્મની સહિત 10 દેશોના રાજદૂતોને દેશ છોડવાનો આદેશ આપ્યો છે. તુર્કીના આ પગલાંથી ઇસ્લામિક દેશો તેમજ પશ્વિમી દેશો વચ્ચે તણાવ વધી શકે છે.

આ 10 દેશના રાજદૂતોને પર્સના નોન ગ્રેટા અર્થાત્ અનિચ્છનીય વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. હકીકતમાં, આ દેશોએ તુર્કીની જેલમાં બંધ, નાગરિક સમાજના નેતા ઉસ્માન કવાલાને મુક્ત કરવાની માંગ રકી હતી. જેના જવાબમાં તુર્કીએ આ પગલું ભર્યું છે.

સામાન્ય રીતે કોઈ પણ દેશ આ રીતે રાજદૂતોને હાંકી કાઢતો નથી, પરંતુ એર્દોગનનો નિર્ણય દર્શાવે છે કે આ મામલો કેટલી હદે ગંભીર હોઈ શકે છે. ઉસ્માન કાવલા છેલ્લા ચાર વર્ષથી તુર્કીમાં કેદ છે. ઉસ્માન પર સરકાર વિરોધી પ્રદર્શનને ફંડિંગ કરવાનો આરોપ છે. આ સપ્તાહ તુર્કી માટે ખરાબ જતું હોય તેવું લાગે છે. તાજેતરમાં તેને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) દ્વારા ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યું છે. હવે તુર્કી એક સાથે 10 દેશો સાથે રાજકીય દુશ્મનાવટ કરીને નવા વિવાદમાં ફસાઈ શકે છે.

એર્ડોગને એક કાર્યક્રમમાં જ 10 દેશોના રાજદૂતોને દેશ છોડવાનો હુકમનામું બહાર પાડ્યું હતું. તુર્કીએ આ રાજદૂતોને રજા આપવા માટે બે દિવસનો સમય આપ્યો છે. આ અંગે યુરોપિયન દેશોની પ્રતિક્રિયા પણ સામે આવી છે. નોર્વેએ કહ્યું કે અમારા રાજદૂતે એવું કશું કર્યું નથી, જેની સામે હકાલપટ્ટીની કાર્યવાહીને વાજબી ઠેરવી શકાય.