Site icon Revoi.in

બાળકોને ના કહેવું પણ જરૂરી છે, નઈ તો જીવનભર પછતાવું પડશે

Social Share

કેટલાક બાળકો ઝીદ્દી સ્વભાવના હોય છે બીજી તરફ માતા-પિતા તેમની તમામ જરૂરિયાતોની સાથે ઝીદ્દ પુર્ણ કરે છે. પરંતુ જો આ બાળકોની ઝીદ્દ પૂર્ણ ના થાય તો ઉગ્રસ્વરૂપ ધારણ કરીને હંગામો મચાવે છે. જેથી માતા-પિતાએ પહેલાથી જ બાળકોને સમજાવવાના પ્રયાસો કરવા જોઈએ.

અનુશાસન સિખવાડો: ‘ના’ કહેવાથી બાળકોને શિસ્તબદ્ધ બનવાનું શીખવે છે. આ તેમને જાણવામાં મદદ કરે છે કે દરેક વસ્તુની એક મર્યાદા હોય છે.

સાચા અને ખોટાની ઓળખ: નાના બાળકો સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સમજી શકતા નથી. જો તમે ‘ના’ કહો, તો તેઓને સાચા-ખોટાની ખબર પડશે.

પોતાના દમ પર જીવવું: હંમેશા ‘હા’ કહેવાથી બાળકો ક્યારેય પોતાના માટે વિચારવાનું શીખતા નથી. ‘ના’ કહીને તેઓ પોતાની વિચારસરણી બનાવી શકે છે.

સ્પષ્ટ રીતે સમજાવો: જ્યારે પણ ‘ના’ કહેવામાં આવે ત્યારે તેમને સ્પષ્ટ રીતે સમજાવો કે ‘ના’ કેમ બોલવામાં આવ્યું છે.

પ્રેમથી કહો: બાળકોને એવું લાગવું જોઈએ કે તેઓ ખુબ પ્યારા છે અને ‘ના’ કહેવું તેમના પોતાના ભલા માટે છે.

મક્કમ બનો: એકવાર તમે ‘ના’ કહો, પછી પાછા હટશો નહીં. તેનાથી બાળકોને સમજાશે કે માતા-પિતાનું કહેવું અંતિમ છે.