Site icon Revoi.in

જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો, ભારે વરસાદ હોઈ શકે કારણ

Social Share

જૂનાગઢ: જૂનાગઢમાં વરસેલા ભારે વરસાદની અસર સક્કરબાગ ઝુમાં જોવા મળી હતી. અહીં મુલાકાતે આવતા મુલાકાતીઓની સંખ્યામાં ખૂબ જ ઘટાડો નોંધાયો છે, અહીં આવતા મુલાકાતીઓ પર વરસાદી માહોલની અસર પડી છે. છેલ્લા 10 દિવસમાં અહીં આવનાર પ્રવાસીની સંખ્યા ઘટી છે જોકે, શનિ અને રવિવારે થોડી ભીડ રહે છે જ્યારે બાકીના દિવસોમાં પ્રવાસીની ઘટ રહે છે. એમાં પણ 1થી 10 જૂલાઇ સુધીમાં તો વિદ્યાર્થીની એકપણ ટ્રીપ થઇ ન હોય આ 10 દિવસો દરમિયાન સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં નાના મોટા વિદ્યાર્થીઓની સંખ્યા ઝીરો રહી હતી જ્યારે આ દિવસોમાં મુલાકાત લેનારા સિનીયર સિટીઝનોની સંખ્યા પણ માત્ર 57 જ રહી છે.

આ અંગે જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના આરએફઓ નિરવ મકવાણાએ જણાવ્યું હતું કે, સક્કરબાગની મુલાકાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી પડી રહેલા ભારે વરસાદના કારણે આવનાર પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. જ્યાં દરરોજના 2,500થી વધુ પ્રવાસીઓ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા હતા તે વરસાદના દિવસોમાં ઘટીને એક સમયે 539 સુધી પહોંચી ગયા હતા.

સિનીયર સિટીઝનોની સંખ્યામાં પણ ઘટાડો થયો એમાં પણ વિદ્યાર્થીઓની ટ્રીપ બંધ થઇ ગઇ છે. પરિણામે 1 થી લઇને 10 જૂલાઇ સુધીમાં એકપણ નાના મોટા વિદ્યાર્થીઓની સક્કરબાગમાં એન્ટ્રી થઇ નથી. એજ રીતે સિનીયર સિટીઝનોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. 1 થી 10 જૂલાઇ સુધીમાં માત્ર 57 સિનીયર સિટીઝનોએ સક્કરબાગની મુલાકાત લીધી છે. એમાં પણ ચારેક દિવસને બાદ કરતા તો એક-એક સિનીયર સિટીઝનો મુલાકાતે આવ્યા હતા.

હાલ વરસાદી સિઝન છે તેને લઇને સક્કરબાગની વેટરનરી તબીબોની ટીમ વન્યજીવોની વિશેષ કાળજી લઇ રહી છે જેથી કોઇ મુશ્કેલી ન સર્જાય. આ ઉપરાંત પાંજરા વગેરેની પણ નિયમિત તેમજ દર બુધવારે સક્કરબાગ રજાના કારણે બંધ હોય ત્યારે પણ સાફ સફાઇની વિશેષ કાળજી લેવાય છે