Site icon Revoi.in

ડિનર અને સુવા વચ્ચે રાખો આટલું અંતર, વજન નહી વધે અને તંદુરસ્તી રહેશે બરકરાર

Social Share

દરેક લોકો એમ કહેતા હોય છે કે રાત્રે ખાયને ક્યારેય સુઈ જવું ન જોઈએ કારણ કે સુઈ જવાથી વેઈટ વધતું જ જાય છે સાથે જ ડાયઆબિટીઝ જેવી સમસ્યાઓ થવા લાગે છે જેને લઈને અનેક લોકો મુંઝવણમાં છે કે શું રાત્રે જમ્યા બાદ ક્યારે સુવુ જોઈએ તો આજે આ વિશે કેટલીક વાત કરીશું

ઘણા લોકોને ભોજન કર્યા પછી તરત જ સૂવાની આદત હોય છે, પરંતુ તમને ખબર નહીં હોય કે તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. જમ્યા પછી તરત જ સૂઈ જવાથી ખોરાકનું પાચન યોગ્ય રીતે થતું નથી, જેના કારણે વજન વધે છે, એસિડ રિફ્લક્સ થાય છે અને હાર્ટબર્ન, ગેસ એસિડિટી, પેટનું ફૂલવું જેવી પાચન સમસ્યાઓ થાય છે.યુવા વર્ગ મેદસ્વિતાથી સૌથી વધુ પરેશાન છે, જીમમાં કસરત કરવા છતાં સ્થૂળતા ઓછી નથી થઈ રહી, તેનું કારણ મોડી રાત્રે ખાવા સિવાય બીજું કંઈ નથી, જો તમે તમારા વજનને કાબૂમાં રાખવા માંગતા હોવ તો ચોક્કસથી ખોરાક ખાવા અને સૂવા વચ્ચે 2 થી 3 કલાકનું અંતર રાખો.

ઘણીવાર લોકો ઊંઘ ન આવવાની ફરિયાદ કરે છે, આવું એટલા માટે થાય છે કારણ કે તમે ભોજન મોડું કરો છો. આ શરીરના કુદરતી ચક્રને અસર કરે છે. રાત્રે સૂતી વખતે તમે બેચેની અનુભવો છો અને આ જ કારણ છે કે તમને લાંબા સમય સુધી ઊંઘ આવે છે.સતત મોડા ખાવાથી બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસની સમસ્યા થઈ શકે છે, નિયમિત રાત્રિભોજન કરવાથી તમારું વજન વધે છે અને બ્લડ સુગર અનિયંત્રિત રહે છે. જેના કારણે બીપી અને હાર્ટ સંબંધિત સમસ્યાઓનો ખતરો વધી જાય છે.

આપણે સૂવાના એક કલાક પહેલા ફોનનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. સ્માર્ટફોનમાંથી આવતી વાદળી લાઇટ તમારી આંખો માટે તો ખરાબ છે જ, પરંતુ મગજ માટે પણ ખૂબ જ ખતરનાક છે. એટલા માટે સૂતા પહેલા ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ. સૂતા પહેલા બ્રશ કરો સવારે ઉઠ્યા પછી દરેક વ્યક્તિ બ્રશ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે રાત્રે સૂતી વખતે બ્રશ કરવું એટલું જ જરૂરી છે જેટલું સવારે.જો તમારે વજન ઓછું કરવું હોય તો સાંજે 7 વાગ્યા પછી ડિનર ન કરવું. કારણ કે રાત્રિભોજન અને ઊંઘ વચ્ચે ઓછામાં ઓછું 2 કલાકનું અંતર હોવું જોઈએ.