Site icon Revoi.in

ભારત જોડો યાત્રામાં સુરક્ષા મુદ્દે ખડગેએ ચિંતા વ્યક્ત કરી, અમિત શાહને દરમિયાનગીરી કરવા વિનંતી કરી

Social Share

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને ભારત જોડો યાત્રામાં સામેલ યાત્રીઓની યોગ્ય સુરક્ષાની માંગ કરી છે. પત્રમાં તેમણે કોંગ્રેસ પાર્ટી વતી અનેક માંગણીઓ કરી છે. ખજગેએ મામલામાં વ્યક્તિગત રૂપે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી, સંબંધિત અધિકારીઓને યોગ્ય સુરક્ષા માટે નિર્દેશ જાહેર કરવા વિનંતી કરી છે. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાના કારણોસર રાહુલ ગાંધીએ પોતાની ભરત જોડો યાત્રા સ્થિગિત કરી હતી.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પત્રમાં લખ્યું છે કે તમને આ પત્ર ભારત જોડો યાત્રા દરમિયાન સુરક્ષામાં થયેલી દુર્ભાગ્યપૂર્ણ ખામીને લઈને લખી રહ્યો છું, જેના વિશે તમે પહેલાથી જ જાણતા હશો. રાહુલ ગાંધીની સુરક્ષા વ્યવસ્થાનો હવાલો સંભાળતા સુરક્ષા અધિકારીઓની સલાહ પર યાત્રા મોકૂફ રાખવી પડી હતી. અમે J&K પોલીસની પ્રશંસા કરીએ છીએ અને તેમના નિવેદનને આવકારીએ છીએ કારણ કે તેઓએ યાત્રાના સમાપન સુધી સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવાની ખાતરી આપી છે.

જો કે, તમે પ્રશંસા કરશો કે સામાન્ય લોકોની વિશાળ ભીડ દરરોજ ભારત જોડો યાત્રામાં જોડાઈ રહી છે. આયોજકો માટે તે કહેવું મુશ્કેલ છે કે, આખા દિવસમાં કેટલા લોકો આવવાની અપેક્ષા છે કારણ કે યાત્રામાં જોડાવું એ સામાન્ય લોકોની વૃત્તિ છે.

ખડગેએ લખ્યું છે કે અમે આગામી બે દિવસમાં યાત્રામાં જોડાવાની વિશાળ સભાની અપેક્ષા રાખીએ છીએ અને 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં સમારોહની પણ રાહ જોઈ રહ્યા છીએ. 30 જાન્યુઆરીએ યોજાનાર સમાપન સમારોહમાં કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ અને અન્ય મહત્વપૂર્ણ રાજકીય પક્ષોના નેતાઓ હાજરી આપી રહ્યા છે. જો તમે આ બાબતમાં અંગત રીતે હસ્તક્ષેપ કરીને સલાહ આપી શકો તો હું આભારી રહીશ. યાત્રાના સમાપન સુધી પર્યાપ્ત સુરક્ષા પ્રદાન કરવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ જારી કરવા પણ ખડગેએ વિનંતી કરી છે.