Site icon Revoi.in

ગીર સોમનાથ નજીક આવેલા કોડીનાર શહેરમાં વનરાજાની એન્ટ્રી, વાડમાં બંધાયેલા પશુઓનો કર્યો શિકાર

Social Share

રાજકોટ: ગુજરાતના ગીર સોમનાથ નજીક આવેલા કોડીનાર શહેરમાં વનરાજાએ એન્ટ્રી મારી છે. જાણકારી અનુસાર સાવજોએ સિંધાજ ગામે ધામા નાખ્યાં છે અને આવતાની સાથે જ સિંહોએ વાડમાં બંધાયેલા પશુઓનો શિકાર કર્યો છે.

સિંહની આ પ્રકારે ગામની સીમમાં એન્ટ્રી થતા લોકોમાં ભયનો માહોલ છે. ગામમાં સિંહોની લટારથી લોકો અને પશુઓમાં ભયઉદભવી રહ્યો છે. જો કે વનવિભાગને આ બાબતે જાણ થતા યોગ્ય પગલા લેવામાં આવે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જંગલી પ્રાણીઓનો વિસ્તાર વધી રહ્યો છે. અવાર નવાર આ પ્રકારના કિસ્સાઓ જોવા મળતા હોય છે કે જ્યાં ક્યારેક દિપડો, વાઘ, સિંહ શહેરની અથવા ગામની હદમાં જોવા મળતા હોય છે. સદનસીબે એવી કોઈ ઘટના મોટા પ્રમાણમાં નથી બનતી જેમાં કોઈ જંગલી પ્રાણી દ્વારા માણસનો શિકાર કરવામાં આવતો હોય.