1. Home
  2. Tag "Lions"

સિંહો વિશેની જૂની માન્યતા ખોટી પડી: દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા એશિયાટિક સિંહોનો 70 ટકા ખોરાક વન્યજીવો

ગાંધીનગર, 18 જુલાઈ 2026: ગાંધીનગર: સામાન્ય રીતે એવી માન્યતા છે કે જંગલની બહાર નીકળેલા સિંહો મુખ્યત્વે પાલતુ પશુઓનો શિકાર કરે છે, પરંતુ તાજેતરના એક સંશોધન અભ્યાસે આ ધારણાને ખોટી સાબિત કરી છે. ‘કન્ઝર્વેશન’ જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસ મુજબ, દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા એશિયાટિક સિંહો પોતાના કુલ શિકાર (બાયોમાસ)ના 70 ટકા જેટલો હિસ્સો વન્યજીવોમાંથી મેળવે છે.શિકારનું પ્રમાણ […]

પોરબંદરનો બરડા ડુંગર સિંહોના સુરક્ષિત નિવાસ તરીકે સજ્જ થયો

ગાંધીનગર, 6 ફેબ્રુઆરી 2026: ગીરના સાવજને હવે નવું સરનામું મળ્યું છે. વર્ષોની પ્રતીક્ષા બાદ પોરબંદરનો ‘બરડા ડુંગર’ સિંહોના સુરક્ષિત આશરા તરીકે સજ્જ થયો છે. સિંહોના વસવાટનું વિસ્તરણ અને પર્યાવરણના જતન માટે લેવાયેલો આ ઐતિહાસિક નિર્ણય માત્ર વન્યજીવ પ્રેમીઓ માટે જ નહીં, પણ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે પણ નવી ક્રાંતિ લાવશે. કુદરત અને મનુષ્ય વચ્ચેના અનોખા સંતુલનને માણવા […]

ગજરાતમાં સિંહ, નીલગાય, વાંદરા, કાળીયાર, દિપડા, સાંભર, વરૂ, ચિંકારા સહિતની વસતી 5.65 લાખ

ગુજરાતમાં વન્ય-જળચર પ્રાણીઓનો સમૃદ્ધ વારસો ગુજરાતમાં એશિયાઈ સિંહની સંખ્યા 674થી વધુ નોંધાઈ રાજ્યના 13 જિલ્લામાં 2217 ચો. કિ.મી.ના વિસ્તારમાં અંદાજે 222 વરૂનો વસવાટ ગાંધીનગરઃ ઇકોસિસ્ટમ, લુપ્તપ્રાય વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિને બચાવવા અને પર્યાવરણનું જતન કરવા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે કડક કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલમાં મૂકી છે. જેને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સુપેરે આગળ ધપાવી રહ્યા છે. […]

વિશ્વ સિંહ દિવસ: સાસણમાં સિંહ તેમજ અન્ય પ્રાણીઓની સારવાર માટે વિશ્વની નંબર વન હોસ્પિટલ બનાવાશે

અમદાવાદઃ આજે વિશ્વ સિંહ દિવસ. ગુજરાતીઓ માટે ગર્વનો દિવસ, ભારતભરના લોકો વનરાજ સિહને જોવા માટે ગુજરાતમાં આવે છે. સિંહ એ ગુજરાતની શાન છે, પરંતુ જંગલો કપાવાથી સિહ અવાર-નવાર રસ્તા પર આવી ચડે છે અને અકસ્માતનો ભોગ બને છે. આજ દિવસે ગુજરાતનાં વન મંત્રી મુળુભાઈ બેરાનું સિંહોની સુરક્ષાને લઇ નિવેદન આવ્યું. તેમણે કહ્યું કે, સિંહની સુરક્ષા માટે વન વિભાગ […]

સાવજોનું વેકેશન પૂર્ણઃ સાસણ ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકાયું

જૂનાગઢઃ દેશ વિદેશમાં પ્રખ્યાત એવા એશિયાટિક સિંહોના ઘર ગણાતા સાસણ ગીરમાં ચોમાસુ વેકેશન પૂર્ણ થતા આજથી સાસણ ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ વર્ષથી વન વિભાગ દ્વારા અહી આવતા પર્યટકો માટે અનેક સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે અને જીપ્સી ની જગ્યાએ નવા મોડીફાઇડ વાહનો મૂકવામાં આવ્યાં છે. પ્રવાસીઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને સુવિધાઓમાં […]

અમરેલીના જાફરાબાદ વિસ્તારમાં સિંહોમાં ન્યુમોનિયાનો રોગચાળો, પાંચ સિંહને રેસ્ક્યુ કરાયાં

અમદાવાદઃ પશુઓમાં પણ રોગચાળો જોવા મળતો હોય છે. વાતાવરણની અસર માણસની જેમ પશુઓને પણ થતી હોય છે. ત્યારે અમરેલીના જાફરાબાદ રેન્જમાં સિંહોમાં ન્યુમોનિયાનો રોગ જોવા મળતા વન વિભાગ દ્વારા પાંચ જેટલા સિંહનું રેસ્ક્યુ કરને એનિમલ સારવાર કેન્દ્રમાં ખસેડીને વેક્સિંન આપવામાં આવી હતી. શેત્રુંજી ડિવિઝન હેઠળના અમરેલીના જાફરાબાદ રેન્જ ફોરેસ્ટમાં ન્યુમોનિયા નામના રોગના કારણે દોઢ માસ […]

જંગલના વનરાજોને સીડીવીના રોગચાળાથી બચાવવા માટે વેક્સિન તૈયાર, ટ્રાયલ શરૂ કરાઈ

રાજકોટ:  દેશ અને રાજ્યમાં કોઈ વાયરલને કારણે લોકો તેના ભોગ બનતા હોય છે તેવી રીતે પશુઓ,પ્રાણીઓ અને પક્ષીઓ પણ કોઈ અજ્ઞાત વાયરલનો ભોગ બનતા હોય છે. ત્યારે માનવીની જેમ પશુ-પ્રાણીઓ અને પક્ષીઓને બચાવવા માટે પણ તેની રોગ-પ્રતિકારક શક્તિ વધે તેવી વેક્સિન માટે સંશોધનો થતા હોય છે. ગુજરાત અને સૌરાષ્ટ્રની શાન જેવા ગીરના સિંહોને પરેશાન કરતા […]

ગીર સોમનાથ નજીક આવેલા કોડીનાર શહેરમાં વનરાજાની એન્ટ્રી, વાડમાં બંધાયેલા પશુઓનો કર્યો શિકાર

કોડીનાર શહેરમાં સિંહની દસ્તક આવતાની સાથે પશુઓનો કર્યો શિકાર લોકોમાં ભયનો માહોલ રાજકોટ: ગુજરાતના ગીર સોમનાથ નજીક આવેલા કોડીનાર શહેરમાં વનરાજાએ એન્ટ્રી મારી છે. જાણકારી અનુસાર સાવજોએ સિંધાજ ગામે ધામા નાખ્યાં છે અને આવતાની સાથે જ સિંહોએ વાડમાં બંધાયેલા પશુઓનો શિકાર કર્યો છે. સિંહની આ પ્રકારે ગામની સીમમાં એન્ટ્રી થતા લોકોમાં ભયનો માહોલ છે. ગામમાં […]

ધારીની મધુરમ સોસાયટીમાં સિંહના આંટાફેરા,ગાયનો શિકાર કરી માણી મિજબાની

શહેરમાં એક સાથે 5 સિંહો આવી ચડ્યા ગાયનો શિકાર કરી માણી મિજબાની સ્થાનિક લોકોએ મોબાઈલના કેમેરામાં કેદ કર્યા દ્રશ્યો  રાજકોટ :અમરેલીના ધારી શહેરમાં પણ રહેણાંક વિસ્તારમાં સિંહ ઘૂસી આવ્યાની ઘટના સામે આવી છે.ધારીની મધુવન સોસાયટીમાં વહેલી સવારે એક સાથે પાંચ સિંહ આવી ચડ્યા હતા.અને ગાયનો શિકાર કરી મિજબાની માણી હતી.મોર્નિંગ વોકમાં ચાલવા નીકળેલા યુવકોએ સિંહોને […]

આંકોલવાડી ગીર વિસ્તારમાં 10 સિંહનો લટાર મારતો વિડિયો થયો વાયરલ

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાના કારણે સિંહના રહેઠાણ એવા ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં ભલે તારાજી સર્જાઈ હોય પણ એશિયાટિક સિંહને  કોઈ નુકસાન ના થયાનો વનવિભાગ તરફથી બુધવારે જ દાવો કરાયો હતો. વનવિભાગના દાવા બાદ હવે એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં આંકોલવાડી ગીર વિસ્તારમાં 10 સિંહનું એક ટોળું કોઝ-વે પર વહેતા પાણીની વચ્ચેથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code