1. Home
  2. Tag "Lions"

સાવજોનું વેકેશન પૂર્ણઃ સાસણ ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકાયું

જૂનાગઢઃ દેશ વિદેશમાં પ્રખ્યાત એવા એશિયાટિક સિંહોના ઘર ગણાતા સાસણ ગીરમાં ચોમાસુ વેકેશન પૂર્ણ થતા આજથી સાસણ ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ વર્ષથી વન વિભાગ દ્વારા અહી આવતા પર્યટકો માટે અનેક સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે અને જીપ્સી ની જગ્યાએ નવા મોડીફાઇડ વાહનો મૂકવામાં આવ્યાં છે. પ્રવાસીઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને સુવિધાઓમાં […]

અમરેલીના જાફરાબાદ વિસ્તારમાં સિંહોમાં ન્યુમોનિયાનો રોગચાળો, પાંચ સિંહને રેસ્ક્યુ કરાયાં

અમદાવાદઃ પશુઓમાં પણ રોગચાળો જોવા મળતો હોય છે. વાતાવરણની અસર માણસની જેમ પશુઓને પણ થતી હોય છે. ત્યારે અમરેલીના જાફરાબાદ રેન્જમાં સિંહોમાં ન્યુમોનિયાનો રોગ જોવા મળતા વન વિભાગ દ્વારા પાંચ જેટલા સિંહનું રેસ્ક્યુ કરને એનિમલ સારવાર કેન્દ્રમાં ખસેડીને વેક્સિંન આપવામાં આવી હતી. શેત્રુંજી ડિવિઝન હેઠળના અમરેલીના જાફરાબાદ રેન્જ ફોરેસ્ટમાં ન્યુમોનિયા નામના રોગના કારણે દોઢ માસ […]

જંગલના વનરાજોને સીડીવીના રોગચાળાથી બચાવવા માટે વેક્સિન તૈયાર, ટ્રાયલ શરૂ કરાઈ

રાજકોટ:  દેશ અને રાજ્યમાં કોઈ વાયરલને કારણે લોકો તેના ભોગ બનતા હોય છે તેવી રીતે પશુઓ,પ્રાણીઓ અને પક્ષીઓ પણ કોઈ અજ્ઞાત વાયરલનો ભોગ બનતા હોય છે. ત્યારે માનવીની જેમ પશુ-પ્રાણીઓ અને પક્ષીઓને બચાવવા માટે પણ તેની રોગ-પ્રતિકારક શક્તિ વધે તેવી વેક્સિન માટે સંશોધનો થતા હોય છે. ગુજરાત અને સૌરાષ્ટ્રની શાન જેવા ગીરના સિંહોને પરેશાન કરતા […]

ગીર સોમનાથ નજીક આવેલા કોડીનાર શહેરમાં વનરાજાની એન્ટ્રી, વાડમાં બંધાયેલા પશુઓનો કર્યો શિકાર

કોડીનાર શહેરમાં સિંહની દસ્તક આવતાની સાથે પશુઓનો કર્યો શિકાર લોકોમાં ભયનો માહોલ રાજકોટ: ગુજરાતના ગીર સોમનાથ નજીક આવેલા કોડીનાર શહેરમાં વનરાજાએ એન્ટ્રી મારી છે. જાણકારી અનુસાર સાવજોએ સિંધાજ ગામે ધામા નાખ્યાં છે અને આવતાની સાથે જ સિંહોએ વાડમાં બંધાયેલા પશુઓનો શિકાર કર્યો છે. સિંહની આ પ્રકારે ગામની સીમમાં એન્ટ્રી થતા લોકોમાં ભયનો માહોલ છે. ગામમાં […]

ધારીની મધુરમ સોસાયટીમાં સિંહના આંટાફેરા,ગાયનો શિકાર કરી માણી મિજબાની

શહેરમાં એક સાથે 5 સિંહો આવી ચડ્યા ગાયનો શિકાર કરી માણી મિજબાની સ્થાનિક લોકોએ મોબાઈલના કેમેરામાં કેદ કર્યા દ્રશ્યો  રાજકોટ :અમરેલીના ધારી શહેરમાં પણ રહેણાંક વિસ્તારમાં સિંહ ઘૂસી આવ્યાની ઘટના સામે આવી છે.ધારીની મધુવન સોસાયટીમાં વહેલી સવારે એક સાથે પાંચ સિંહ આવી ચડ્યા હતા.અને ગાયનો શિકાર કરી મિજબાની માણી હતી.મોર્નિંગ વોકમાં ચાલવા નીકળેલા યુવકોએ સિંહોને […]

આંકોલવાડી ગીર વિસ્તારમાં 10 સિંહનો લટાર મારતો વિડિયો થયો વાયરલ

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાના કારણે સિંહના રહેઠાણ એવા ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં ભલે તારાજી સર્જાઈ હોય પણ એશિયાટિક સિંહને  કોઈ નુકસાન ના થયાનો વનવિભાગ તરફથી બુધવારે જ દાવો કરાયો હતો. વનવિભાગના દાવા બાદ હવે એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં આંકોલવાડી ગીર વિસ્તારમાં 10 સિંહનું એક ટોળું કોઝ-વે પર વહેતા પાણીની વચ્ચેથી […]

માણસોમાંથી પ્રાણીઓમાં પણ ફેલાયો કોરોના,હૈદરાબાદમાં 8 એશિયાઇ સિંહો પોઝિટિવ

ભારતમાં પહેલીવાર માણસમાંથી પ્રાણીઓમાં ફેલાયો કોરોના 8 એશિયાઇ સિંહો કોરોના સંક્રમિત તમામ સિંહોને કરાયા આઇસોલેટ  હૈદરાબાદ: દેશમાં દરરોજ 3 લાખથી વધુ લોકો કોરોના વાયરસ સંક્રમણની ચપેટમાં આવી રહ્યા છે. લોકોમાં કોરોના ખૂબ ઝડપથી પ્રસરી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસનું સંક્રમણ લોકોમાંથી બીજા લોકોમાં ફેલાવવાના અહેવાલો સામે આવ્યા હતા, પરંતુ આ પહેલી વાર થયું […]

સાસણગીરમાં બે વર્ષમાં 7.74 લાખ પ્રવાસીઓએ કર્યા સિંહદર્શન

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થયો છે. જેથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવે છે. નર્મદા નદીના કિનારે આકાર પામેલી વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર સુધીમાં 50 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે. જ્યારે સિંહનું ઘર ગણાતા જૂનાગઢના સાસણગીરમાં છેલ્લા બે વર્ષના સમયગાળામાં 7.75 લાખ પ્રવાસીઓએ મુલાકાત […]

હવે ગીરના સિંહોએ શિકાર માટે જંગલની બહાર નહીં ભટકવું પડે, આવી રહ્યો છે આ પ્રોજેક્ટ

રાજ્ય સરકારના વર્ષ 2021ના બજેટમાં સિંહ સંરક્ષણ માટે 11 કરોડની જોગવાઇ છે હવે સિંહોએ શિકાર કરવા માટે જંગલની બહાર જવાની આવશ્યકતા નહીં રહે સાબર બ્રિડીંગ સેન્ટર બનાવીને તેને જંગલમાં છોડવાની યોજના ગાંધીનગર: રાજ્ય સરકારના વર્ષ 2021ના બજેટમાં સિંહ સંરક્ષણ માટે 11 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સિંહો ભૂખ્યા ના રહે અને તેમને જંગલમાં યોગ્ય રીતે […]

ગીર જંગલમાં સાવજો બાદ હવે દીપડાઓને લગાવાશે રેડિયો કોલર

અમદાવાદઃ ગીર જંગલમાં સાવજોના લોકેશન માટે રેડિયો કોલર લગાવવામાં આવ્યાં હતા. હવે વન વિભાગ દ્વારા સિંહ બાદ હવે દીપડાને પણ રેડિયો કોલર લગાવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાસણમાં બે દીપડાને રેડિયો કોલર લગાવી જંગલમાં છોડવામાં આવ્યા છે. હાલ પ્રાયોગિક ધોરણે પ્રથમ પાંચ દીપડાને રેડિયો કોલર લગાવાની કામગીરી કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગીર જંગલ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code