Site icon Revoi.in

બુંદેલખંડમાંથી 100 વર્ષ પહેલા ગુમ થયેલી યોગીની માતાજીની મૂર્તિ ભારત પરત લવાશે

Social Share

લખનૌઃ કાશીમાં કેનેડાથી પરત લવાયેલી મા અન્નપુર્ણાની પ્રતિમા પછી હવે 8મી સદીની યોગીની દેવીની મૂર્તિ 100 વર્ષ બાદ બુંદેલખંડ લાવવામાં આવશે. આ મૂર્તિ લગભગ 100 વર્ષ પહેલા બાંદાના લોહારી ગામથી લંડન પહોંચી હતી. જેથી હવે તેની સરકારે પરત કરી છે. ભારતના હાઈ કમિશનએ મૂર્તિ ભારત લાવવાની જાણકારી આપી છે. બુંદેલખંડે શૌર્યની ગાથાઓ સાચવી રાખી છે અને ઈતિહાસ પણ ખૂબ જ પ્રાચીન છે, અહીં લગભગ સો વર્ષ પહેલાં બાંદાના લોહારી ગામમાંથી ચોરાયેલી યોગિની માતા (સ્થાનિક ભાષામાં મહામાઈ દાઈ)ની મૂર્તિને ભારત પરત લાવવાના સમાચારથી દરેક લોકો ખુશ છે. પહેલા બ્રિટનના લંડનમાં 8મી સદીની આ પ્રતિમા મળી આવી છે. ગ્રામજનો મૂર્તિ પરત આવવાને આસ્થા અને આસ્થાનો વિજય માની રહ્યા છે અને ભક્તોના કલ્યાણ માટે માતા ફરી આવવાની હોવાનું માની રહ્યાં છે.

તિંદવારીના લોહારી ગામની બહાર એક બગીચા પાસે એક ટેકરાવાળી જગ્યા છે. ભારતીય હાઈ કમિશનની માહિતી અનુસાર, બ્રિટનમાં એક મહિલાના ઘરેથી ચોરાયેલી મૂર્તિ મળી આવી હતી, જેને પરત લાવવાની તૈયારી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ટેકરા પર માતાનું ભવ્ય મંદિર હતું, જે સમય જતાં નાશ પામ્યું હતુ. ગામમાંથી મૂર્તિ ક્યારે ચોરાઈ અને ક્યાં ગઈ એ કોઈને બરાબર ખબર નથી. જો કે, મંદિરમાં લગભગ 200 વર્ષથી પૂજા ચાલી રહી છે. ગામના 85 વર્ષીય રામ સજીવને જણાવ્યું કે આ મૂર્તિ અંગ્રેજોના શાસન પહેલા મંદિરમાં હતી. ત્યારથી તે ગાયબ છે. એમના પૂર્વજો એમ કહેતા હતા.

ભારતની ખોવાયેલી મૂર્તિઓ અને કલાકૃતિઓને સ્થાપિત કરવાના કામમાં લાગેલી સંસ્થા ઈન્ડિયા પ્રાઈડ પ્રોજેક્ટના સહ-સ્થાપક વિજય કુમારે કહ્યું કે ઘણા વર્ષોથી તેના માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. યોગિની માતાની મૂર્તિ થોડા મહિનામાં ભારતમાં આવશે. ઈતિહાસના જાણકાર ડૉ.સંતોષ કુમારના જણાવ્યા અનુસાર, શાક્ત પૂજાનો ઈતિહાસ 6ઠ્ઠી અને 10મી સદી વચ્ચે જોવા મળે છે. તેમાં દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી, 64 યોગિની, કાલી જેવી અનેક દેવીઓની પૂજાનો ઉલ્લેખ છે.

ચંદેલા સમયગાળા દરમિયાન મહોબા બુંદેલખંડની લશ્કરી રાજધાની હોઈ શકે છે, પરંતુ ખજુરાહો અને કાલિંજર સાંસ્કૃતિક રાજધાની મનાતી હતી. તે દરમિયાન તંત્ર-મંત્રની શક્તિ માટે ગામડાઓમાં આવી મૂર્તિઓની પૂજા પણ થતી હતી. ચિત્રકૂટના લોખારી ગામમાં એક દુર્લભ તૃષ્ણા યોગિની વૃષાણન મૂર્તિ પણ હતી. અહીંની મૂર્તિ ઈંગ્લેન્ડ થઈને ફ્રાન્સ પહોંચી હતી. આ મૂર્તિને અટારાના પુનાહુર ગામના વતની અને ઓલ ઈન્ડિયા બુંદેલખંડ ડેવલપમેન્ટ ફોરમના સેક્રેટરી નાસીર અહેમદ સિદ્દીકીની સલાહ પર 2019 માં ભારતમાં લાવવામાં આવી હતી, જે નેશનલ મ્યુઝિયમ દિલ્હીમાં રાખવામાં આવી છે.

Exit mobile version