Site icon Revoi.in

અમદાવાદમાં આગામી 15મી ઓગસ્ટ સુધીમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે

Social Share

અમદાવાદઃ  શહેરના સાબરમતી નદી પરથી શહેરના પૂર્વ-પશ્ચિમ ભાગને જોડતો બ્રીજ તૈયાર થઈ ગયો છે.  મેટ્રો પ્રોજેક્ટનો અમદાવાદ-ગાંધીનગરને જોડનારા ફેઝ-1ની કામગીરી પૂર્ણ કરાઈ રહી છે. મેટ્રો દ્વારા શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડવા માટે સાબરમતી નદી પર બ્રીજ અને પછી અંડરગ્રાઉન્ડ કામગીરી લગભગ પડકારજનક હતી. તે પૂર્ણ કરી દેવામાં આવી છે. 15 ઓગસ્ટ 2022 સુધીમાં આખા શહેરમાં મેટ્રોની કામગીરી પૂર્ણ કરી મેટ્રો ટ્રેનો દોડતી કરાશે. આગામી વર્ષે આવી રહેલી ચૂંટણી પહેલા પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ બન્ને કોરિડોરમાં મેટ્રો ટ્રેનો દાડતી થઈ જશે.

મેટ્રો પ્રોજેક્ટ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે,  સૌથી મહત્વનું કામ નદીથી મેટ્રોને જોડવાનું અને અને પછી અંડરગ્રાઉન્ડથી તેને આગળ લઈ જવાનું હતું.  નદી પરના બ્રીજની કામગીરી પૂર્ણ થઈ છે અને હવે આ એલિવેટેડના અંત ભાગને અંડરગ્રાઉન્ડ સાથે જોડવામાં આવ્યો છે. ગાંધી બ્રીજને સમાંતર મેટ્રો બ્રીજ નદીને ઓળંગતો નથી. મેટ્રો ફેઝ-1નું લગભગ 78.5% જેટલું કામ પૂર્ણ થયું છે હવે આ ફેઝ પર સિગ્નલ્સ અને ટ્રેક લગાવવાની કામગીરી કરાશે. આ સાથે એપ્રલ પાર્કથી શાહપુર સુધીની અંડરગ્રાઉન્ડની કામગીરી પણ પૂર્ણ કરી દેવાઈ છે. અંડરગ્રાઉન્ડનો ભાગ પૂર્વ-પશ્ચિમ કોરીડોરને જોડી રહ્યો છે, જે વસ્ત્રાલથી થલતેજ સુધીનો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,   મેટ્રો રેલ પ્રોજેક્ટમાં સાત રેલવે ટ્રેક સુધી ફેલાયેલો ઓપન વેબ ગ્રીડર સાબરમતી ખાતે મૂકવામાં આવ્યો છે. OWG 73m લાબું અને 12m પહોળું રહેશે. જેના માટે લોખંડના 550MT અને તેનું કુલ વજન 850MT થાય છે. હાલ મેટ્રો સ્ટેશનની કામગીરી પણ ચાલી રહી છે અને આ એક એવું કામ છે જ્યાં GMRC પાછળ ચાલી રહ્યું છે. APMC અને મોટેરા વચ્ચેની ઉત્તર-દક્ષિણ કોરિડોરની કામગીરી ચાલી રહી છે. એવો સંકલ્પ લેવામાં આવ્યો છે કે 15 ઓગસ્ટ 2022 સુધીમાં આખા શહેરમાં મેટ્રોની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે. સરકાર આગામી વર્ષે આવી રહેલી ચૂંટણી પહેલા પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ બન્ને કોરિડોરની મેટ્રોની કામગીરી પૂર્ણ કરવા માગે છે.

આ અંગે સિનિયર અધિકારી જણાવે છે કે, તેમના કોન્ટ્રાક્ટરને ઝડપી કામગીરી માટે આદેશ આપવામાં આવ્યા છે જેથી કરીને 1 ઓગસ્ટ 2022 સુધીમાં મેટ્રોની ટ્રાયલ રન શરુ કરી શકાય. આ સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે કે, GMRC દ્વારા એરપોર્ટથી સીધી કનેક્ટિવિટીનો નિર્ણય પડતો મૂકવામાં આવ્યો છે જે અંગે અગાઉ પ્લાન કરવામાં આવ્યો હતો.