Site icon Revoi.in

મોદી સરકારના સત્તામાં પુરા થશે 9 વર્ષ – બીજેપી ચલાવશે ખાસ જનસંપર્ક અભિયાન

Social Share

દિલ્હીઃ- દેશમાં જ્યારથી બીજેપીની સરકાર બની છે ત્યારથી દેશની દિશા અને દશા સુધરતી અને બદલતી જોવા મળી છે,અનેક યોજનાઓ અને પ્રગતિશીલ કાર્યો થકી દેશને વિશ્વસ્તરે ખઆસ ઓળખ બનાવી છે ,વિશ્વ સાથે ભારત કદમથી કદમ મિલાવતો દેશ બન્યો છે તો સાથે જ ઈર્થવ્યસ્થાની દ્રષ્ટિએ પણ ભારતનો દબદબો જોવા મળી રહ્યો છે ત્યારે હવે મોદી સરકારના સત્તામાં આવ્યા ને 9 વર્ષ પુરા થવા જઈ રહ્યા છે જેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્રારા અત્યારથી જ ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે પીએમ મોદીએ  અનેક યોજનાઓ વિકસાવીને દેશના છેવાડાના ઘર સુધી તેનો લાભ આપ્યો, ભારતે એક નવું વિઝન ઊભું કર્યું જેની વિદેશમાં પણ ખુબ ચર્ચા છે પીએમ મોદી માત્ર દેશના જ નહી પરંતુ વિદેશના લોકો માટે પણ પ્રેરણા રુપ બન્યા,તેમના કાર્યો થકી આજે વિદેશમાં પણ મોદી સરકારની ચર્ચાઓ છે.

પીએમ મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસર પર ભાજપ દેશભરમાં વિશેષ સંપર્ક અભિયાન ચલાવશે. પીએમ નરેન્દ્ર મોદી 30મી મેના રોજ વિશાળ રેલી સાથે આ સંપર્ક અભિયાનની શરૂઆત કરશે. 31 મેના રોજ પીએમ મોદીની રેલી થશે.

આ રેલીનું આયોજન ચૂંટણી રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં કરવામાં આવી શકે છે. મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર દરેક લોકસભા મતવિસ્તારમાં વિશેષ સંપર્ક અભિયાન ચલાવવામાં આવશે. ભાજપનું આ અભિયાન 30મી મેથી 30મી જૂન સુધી એટલે કે આખો મહિનો ચાલશે.

 

આ અવસરને લઈને ખાસ તૈયારીઓ શું છે,જાણો

ઉલ્લેખનીય છે કે 2014માં જે ઝળહળતો વિજય મેળવ્યો હતો તેનાથી પણ ભવ્ય વિજય 2019માં ભાજપ અને તેના સાથી ગઠબંધનોએ મેળવ્યો.ભાજપની  સરકારે છેલ્લા 8 વર્ષ દરમિયાન જનહિત અને દેશહિતમાં અનેક પગલાં લીધા છે  જેને લઈને બીજેપી સરકાર પોતાના બદબદો કાયમ રાખી શકી છે.પીએમ મોદીએ મહત્વકાંક્ષી યોજનાઓ અને કાર્યક્રમની શરૂઆત કરી છે. આ ઉપરાંત કાર્યપદ્ધતિ, નીતિઓ અને માપદંડોમાં પણ ધરખમ ફેરફાર કર્યા છે