Site icon Revoi.in

કોરોનાના કેસ વધતા ગોંડલમાં નગરપાલિકા એલર્ટ,શિક્ષકો કોરોના પોઝિટિવ આવતા હાઈસ્કૂલમાં સેનિટાઈઝેશન કરાયું

Social Share

રાજકોટ: રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. કોરોના સાથે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસો પણ વધી રહ્યા છે.લાખોની સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે..જોકે, કોરોનાની ત્રીજી લહેરને અટકાવવા સરકાર દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે..

ગોંડલમાં કોરોનાના કેસ વધતા નગરપાલિકાનું તંત્ર એલર્ટ થયું છે. હાલ,કોરોનાના કેસ સહિત ઓમીક્રોનના કેસો પણ વધી રહ્યા છે. તેમજ ગોંડલમાં આવેલી સંગ્રામજી હાઈસ્કૂલમાં છેલ્લા 2 દિવસમાં 5 શિક્ષકો કોરોના પોઝિટિવ થયા છે ત્યારે સંગ્રામજી હાઈસ્કૂલમાં સેનીટાઇઝશન કરવામાં આવ્યું હતું. તેમજ સ્કૂલના વર્ગો તેમજ લોબીમાં ફોગીગ કરવામાં આવ્યું હતું. આ સાથે ગોંડલમાં રાત્રીના સમયે રસ્તાઓ પર સેનિટાઈઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના બસ સ્ટેન્ડ રોડ કોલેજ ચોક સહિતના વિસ્તારોમાં ફોગીંગ તેમજ સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું. કોરોનાના કેસ વધતા નગર પાલિકા તંત્ર દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.રાત્રીના સમયે લોકોનો ટ્રાફિક ન હોવાથી અસરકારક કામગીરી થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસને લઈને તંત્ર દ્વારા તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે અને લાખોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે લોકોએ પણ સતર્ક થવું જરૂરી બન્યું છે.અને લોકોએ પણ કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવું પડશે.