Site icon Revoi.in

સુપ્રીમે કિસાન મહાપંચાયતને ઝાટકી, કહ્યું – તમે સમગ્ર શહેરને બંધક બનાવ્યું

Social Share

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં જંતર મંતર પર ધરમા કરવાને લઇને સુપ્રીમ કોર્ટે કિસાન મહાપંચાયતને ઝાટકી છે. જસ્ટિસ ખંડવિલકરે કહ્યું હતું કે, તમે લોકોએ ધંધો બનાવી દીધો છે. તમારા લોકોના કારણે રસ્તા જામ થઇ ગયા છે. લોકો રસ્તાઓ પર અનેક કલાકો સુધી ઉભા રહે છે. તમે સમ્રગ શહેરને બંધક બનાવ્યું અને હવે શહેરની અંદર ઘૂસવા માંગો છો.

 

સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી કે, જો તમારી પાસે અધિકાર છે તો સામાન્ય નાગરિકો પાસે પણ અધિકાર છે. સુપ્રીમ કોર્ટની જગ્યાએ તમે હાઇકોર્ટ પણ જઇ શકતા હતા. તમે શહેરની અંદર ઘૂસીને પ્રદર્શન કરવા માંગો છો.

 

બીજી તરફ અરજીકર્તા તરફથી વકીલ અજય ચૌધરીએ કહ્યું કે, અમારા કારણે માર્ગ જામ નથી થયા, પોલીસે રસ્તા બંધ રાખ્યા છે.

 

સુનાવણી દરમિયાન અરજીકર્તાએ કહ્યું હતું કે, અમે શાંતિપૂર્ણ રીતે ધરણા ધરીને ત્રણેય કૃષિ કાયદાનો વિરોધ કરવા માંગીએ છીએ. જેના પર જસ્ટિસે કહ્યું કે, જો તમે ધરણાનો ભાગ નથી તો અરજી પર નોટિસ કરીશું.

 

ત્યારબાદ વકીલ અજય ચૌધરીએ અરજીકર્તા તરફથી કહ્યું હતું કે, અમે સોગંદનામું આપીશું કે અમે રસ્તા પર જામ કરીને ધરણા ધરનારા ખેડૂતોમાં સામેલ નથી. સુપ્રીમ કોર્ટે અરજીની કોપી એટોર્ની જનરલને આપવા કહ્યું છે. આ મામલે હવે આગામી સુનાવણી 4 ઑક્ટોબરના રોજ થશે.