Site icon Revoi.in

શ્રીનગરના લાવાપોરમાં CRPFની ટૂકડી પર આતંકી હુમલો, 2 જવાન શહીદ, અન્ય 2 ઇજાગ્રસ્ત

Social Share

નવી દિલ્હી: લાવાપોરા વિસ્તારમાં ગુરુવારે બપોરે આતંકીઓએ CRPFની પેટ્રોલિંગ ટૂકડી પર હુમલો કરતા 2 જવાન શહીદ થયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, શ્રીનગરમાં CRPFની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો થયો છે. આ હુમલો લાવાપોરા વિસ્તારમાં થયો છે. CRPF પાર્ટી પર હુમલામાં બે જવાન શહીદ થયા છે. જ્યારે 2 જવાન ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

CRPF પર થયેલા આતંકી હુમલાની જાણકારી આપતા આઇજી વિજય કુમારે જણાવ્યું હતું કે, આ હુમલામાં CRPFના બે જવાનો શહીદ થયા છે અને બે જવાનો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પટિલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યાં તેઓની સારવાર ચાલી રહી છે.

(સંકેત)