અમદાવાદઃ ભગવત ગીતા એ એવો ગ્રંથ છે, કે મુશ્કેલીના સમયમાં પણ ધૈર્ય કઈ રીતે રાખવું વગેરે પણ શીખવે છે. ભગવદ્દ ગીતા એ ફક્ત ધાર્મિક ગ્રંથ નહિ પણ તેને એક ઉચ્ચ મેનેજમેન્ટ ગુરુની શીખ પણ માનવામાં આવે છે. જીન્દગીમાં બનતી દરેક ઘટનામાં કેવા નિર્ણયો લેવા અને કેવી રીતે વર્તવું તેનો સમગ્ર ચિતાર ભગવદ્દ ગીતાના 18 અધ્યાયમાં છે. વિશ્વની અનેક નામી -અનામી સંસ્થાઓમાં ભગવદ્દ ગીતા ભણાવવામાં આવે છે અને તેને અનેક કેસ સ્ટડી સાથે જોડીને ઉમદા નિર્ણયો લેવાયા છે. ત્યારે આઈઆઈએસ અમદાવાદ દ્વારા પણ ભગવત ગીતા પર ઓનલાઈન સર્ટીફિકેટ કોર્ષ શરૂ કરાશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આ કોર્સમાં 5 વર્ષથી વધુ અનુભવ ધરાવતા વર્કિંગ પ્રોફેશનલ્સ અને ભવિષ્યના બિઝનેસ લીડર એડમિશન લઈ શકશે. જેમાં 2 અઠવાડિયાના આ કોર્સ બાદ, સર્ટિફિકેટ આપવામાં આવશે. ભગવદ્દ ગીતામાં ડિસિઝન મેકિંગ, લીડરશીપ, નેગોશિયેશન સહિત અનેક ટેક્નિક સામેલ છે. જેમાં સ્ટુડન્ટને વિવિધ ઐતિહાસિક અને ધાર્મિક ઉદાહરણોથી જોડીને ભણાવવામાં આવશે. આ કોર્ષ ભણાવવા માટે નિષ્ણાંત પ્રાધ્યાપકોની સેવા લેવામાં આવશે. કોર્ષનું માળખું પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે.