Site icon Revoi.in

પાલિતાણાની સર માનસિંહજી હોસ્પિટલ હવે બનશે અત્યાધુનિક

Social Share

અમદાવાદઃ પાલિતાણાની સરકારી હોસ્પિટલ-સર માનસિંહજી હોસ્પિટલને તમામ સ્વાસ્થ્ય -સુવિધા સાથે અપગ્રેડ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કર્યો છે. આજે નવી દિલ્હી ખાતે આ માટે રૂ. 45 કરોડની ફાળવણી માટે સંમત્તિ આપી દેવામાં આવી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ પાલિતાણાની સરકારી હોસ્પિટલની મુલાકાત કરી હતી અને તેની સાથે જ તેને અપગ્રેડ કરવાના આદેશો આપ્યા હતા. હવે પાલિતાણા સરકારી હોસ્પિટલ ૫૬ બેડમાં થી 150 બેડ ની હોસ્પિટલ બનશે. આ નવા ઉમેરાયેલા બેડમાં જનરલ બેડની સાથે સાથે બાળકો માટેના બેડ અને ICU બેડની પણ સુવિધા રહશે. નવા બેડની સાથે દર્દીની સારવાર માટેની તમામ અત્યાધુનીક સગવડો પણ ઉભી કરાશે.

સર માનસિંહજી હોસ્પિટલના અપગ્રેડેશન સાથે નિષ્ણાત ડોક્ટરની સેવાનો લાભ પાલિતાણાની વિશાલ જનસંખ્યાને મળશે. મેડિકલ- ક્ષેત્રની તમામ અત્યાધુનિક સારવાર હવે પાલિતાણામાં જ સુલભ બનશે. અત્રે નોધનીય છે કે, દેશના નેશનલ હેલ્થ મિશન અંતર્ગત પાલિતાણાની સ્વાસ્થ્ય-સુવિધાને સુસજ્જ કરવા માટે રૂ. 45 કરોડ દ્વારા અપગ્રેડેશન થશે.

(Photo-file)