Site icon Revoi.in

તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવે છે રોજીંદા જીવનની કેટલીક ખાસ ટિપ્સ, ખાવાપીવાથી લઈને આટલી બાબતોનું આપો ધ્યાન

Social Share

 

આપણે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ સવારે ખાવા પીવામાં ધ્યાન આપવું પડશે, સામાન્ય રીતે આપણે રોજિંદા જીવનમાં એટલા વ્યસ્ત થઈ જતા હોઈએ છીએ કે આપણે નાની નાની બાબતોને ટાળતા થઈ જઈએ છે, જે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ જરુરી હોય છે, તો ચાલો આજે રોજ બરોજના જીવન દરમિયાન કામ લાગે તેવી હેલ્થને લગતી કેટલીક ખાસ વાતો જાણીએ

જાણો જીવન જરુરી કેટલીક ટીપ્સ

વજન વધારવું છે? તો રાતના સૂતી વખતે હુંફાળા દૂધમાં એક ચમચી મધ નાખીને તેનું સેવન કરવું જોઈએ, શિયાળામાં મધ અને ગરમ પાણીથી શરદીમાં પમ રાહત મળે છે આ સાથે જ જો તમને અપચો  થયો હોય ત્યારે લીંબુ અને આદુનો રસ સરખે ભાગે લઈ તેમાં ચપટી સંચળ નાખીને પીવું જોઈએ,

આ સાથે જ દરરોજ સવારે પલાળેલી મેથીનું પણ સેવન કરવું જોઈએ જેનાથી સાધાના દુખાવામાં રાહત મળે છે, લીબું  શરબત બનાવી દિવસમાં ત્રણ ચાર વખત પીવાથી શરીરમાં એનર્જી રહે છે સીઝન પ્રમાણે પીવું હિતાવહ છે.આ માટે ગરમ પાણીમાં લીબું શરબત પીવું જોઈએ

કાચા પૌંઆ બે ચમચી ખાઈને ઉપરથી પાણી ન પીવાથી માથાનો દુઃખાવામાં રાહત થાય છે.ત્રણ અંજીરને પલાડી પોચા પડે એટલે  ચાવીને ખાવાથી પાઈલ્સ પર ખૂબ રાહત રહે છે. આ પ્રયોગ 15 દિવસ કરવાથી ખૂબ રાહત રહેશે.ગોળના નાના ટુકડા સાથે 8 થી 10 દાણા ચારોળીના ચાવી જતાં થાક ઉતરી જશે.

મોંમાં પાણી ભરી આંખ પર પાણી છંટકારવાથી નેત્રની જ્યોતિ વધે છે.જમતા પહેલાં ખાટાં ફળ અથવા રસ લેવા અને જમ્યા બાદ મીઠાં ફળ લાભકારી છે.દાંતનાં દુઃખાવો થતો હોય ત્યારે તજના તેલનું પુમડું મૂકવાથી રાહત રહેશે.સરસવનાં તેલમાં થોડી હળદર ઉમેરીને પગની માલિશ કરવાથી પગ ઘાટિલા અને સુડોળ બને છેજાંઘમાં દુઃખાવો થતો હોય ત્યારે પગનાં તળિયામાં માલિશ કરવાથી ફાયદો થાય છે.સાંધાની પીડામાં ફણગાવેલી મેથી ઉત્તમ પરિણામ આપે છે.