નવી દિલ્હી, 04 ફેબ્રુઆરી 2026: ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે સંસદમાં એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે દેશના હિતોનું સંપૂર્ણ રક્ષણ કરવામાં આવ્યું છે અને ખેડૂતોના હિત સાથે કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી. કૃષિ અને ડેરી ક્ષેત્રોના હિતોનું રક્ષણ કરવામાં આવ્યું છે, જેનાથી અમેરિકાના બજારમાં ભારતની નિકાસ વધશે. આ ડીલ બંને દેશો માટે ફાયદાકારક રહેશે.
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે સંસદમાં એક મોટું નિવેદન આપતા કહ્યું કે દેશના હિતોનું રક્ષણ કરવામાં આવ્યું છે. જોકે, આ સમય દરમિયાન વિપક્ષી સાંસદોએ પોતાનો વિરોધ ચાલુ રાખ્યો અને ભારે સૂત્રોચ્ચાર પણ થયા.
બજેટ સત્ર દરમિયાન લોકસભામાં વિપક્ષી સાંસદોના હોબાળા વચ્ચે તેમણે કહ્યું કે દેશના હિતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને ખેડૂતોના હિત સાથે કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી. કૃષિ ક્ષેત્રના હિતોનું રક્ષણ થશે અને અમેરિકન બજારમાં ભારતની નિકાસ વધશે.
‘ડેરી ક્ષેત્રમાં પણ હિતોનું રક્ષણ’
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમે કૃષિ ક્ષેત્રોનું રક્ષણ કરવામાં સફળ રહ્યા છીએ અને ઘણા ક્ષેત્રો પર ચર્ચા બાદ સર્વસંમતિ સધાઈ છે. તેમણે કહ્યું કે ડેરી ક્ષેત્રમાં અમારા હિતોનું પણ રક્ષણ કરવામાં આવ્યું છે અને આ ડીલ બંને પક્ષો માટે ફાયદાકારક છે. બંને દેશોને ફાયદો થશે.
વધુ વાંચો: જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના પહાડી વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર

