Site icon Revoi.in

પીએમ મોદી જાન્યુઆરીમાં ફરી આવશે ગુજરાતની મુલાકાતે

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા અને કચ્છમાં વિકાસ કાર્યોનો શુભારંભ કરાવ્યો હતો. ત્યારે ફરી એકવાર આગામી જાન્યુઆરી મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવે તેવી શકયતા છે. સરદાર ધામના લોકાર્પણ પ્રસંગનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સરદારધામના લોકાર્પણ માટે પીએમ નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેમનો સમય માંગવામાં આવ્યો છે. આ ઉપરાંત જાન્યુઆરી મહિનામાં જ રાજકોટ એઈમ્સનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાતમૂહર્ત કરવામાં આવશે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાન્યુઆરીના સંભવિત ગુજરાત પ્રવાસને લઈને અન્ય બેથી 3 પ્રોજેક્ટના લોકાર્પણ અને શિલાન્યાસની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે કચ્છની મુલાકાતે આવ્યાં હતા. તેમજ ત્રણેક પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત તેમણે કચ્છના ખેડૂતો સાથે પણ ચર્ચા કરી હતી.