Site icon Revoi.in

PM મોદી 24 માર્ચે વારાણસી જશે,કાશીને આપશે આ ખાસ ભેટ

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 માર્ચે રૂદ્રાક્ષ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે ‘વર્લ્ડ ટીબી ડે સમિટ’નું ઉદ્ઘાટન કરવા માટે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લેશે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય મેદાન ખાતે જાહેર સભામાં રૂ. 200 કરોડના ખર્ચે તૈયાર થયેલા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને કોઇપણ શહેરમાં પ્રથમ વખત જાહેર પરિવહનની સુવિધા માટે રોપ-વે સહિત રૂ. 1,200 કરોડના ખર્ચનો આધારશિલા રાખશે.

મળતી માહિતી મુજબ, ડિવિઝનલ કમિશનર કૌશલ રાજ શર્માએ જણાવ્યું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વડાપ્રધાનની મુલાકાત માટેના પ્રોજેક્ટ્સ અને વ્યવસ્થાઓની સમીક્ષા કરવા શુક્રવારે વારાણસી પહોંચશે.

માર્ચ 2018માં ‘દિલ્હી એન્ડ ટીબી સમિટ’ની અધ્યક્ષતા કરનાર વડાપ્રધાન મોદીએ ભારતમાં 2025 સુધીમાં ટીબીનો અંત લાવવાનું આહ્વાન કર્યું હતું.2030 TB-સંબંધિત SDG લક્ષ્યાંકો કરતાં પાંચ વર્ષ આગળ સૂચિત સમિટને સંબોધિત કરશે. 25 અને 26 માર્ચે યોજાનારી “સ્ટોપ ટીબી પાર્ટનરશિપ”ની બે દિવસીય 36મી બોર્ડ મીટિંગ પહેલા પીએમ મોદી 24 માર્ચે રુદ્રાક્ષ ICC ખાતે વિશ્વ ટીબી દિવસના અવસર પર સંબોધન કરશે.