Site icon Revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો

Social Share

દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સવારે દિલ્હી એઇમ્સ ખાતેથી કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, “આપણી પાસે વાયરસને હરાવવા માટે કેટલીક રીતોમાં વેક્સીનેશન એક છે.જો તમે વેક્સીન માટે યોગ્ય છો, તો જલ્દી તમારો ડોઝ લગાવી લો. કોવિન પોર્ટલ પર રજીસ્ટર કરે.” આ પહેલા 1 માર્ચે પીએમ મોદીએ એઇમ્સમાં વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો.

પુડુચેરીના રહેવાસી નર્સ પી નિવેદાએ પીએમ મોદીને વેક્સીનનો બીજો ડોઝ આપ્યો છે. વેક્સીનેશનના ફોટામાં અન્ય એક નર્સ નિશા શર્મા દેખાઈ રહી છે, જે પંજાબની છે, પીએમ મોદીને વેક્સીનનો પહેલો ડોઝ નર્સ પી નિવેદા દ્વારા મુકવામાં આવ્યો હતો. વડાપ્રધાને ભારત બાયોટેકની કોવેક્સીન મુકાવી છે.

1 માર્ચથી બીજા તબક્કાના વેક્સીનેશન અભિયાનના ભાગરૂપે વડાપ્રધાને એઇમ્સ પહોંચીને વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. 1 માર્ચથી વરિષ્ઠ નાગરિકો અને ગંભીર બીમારીથી પીડાતા 45 વર્ષથી વધુ ઉંમરના લોકોનું વેક્સીનેશન શરૂઆત આવ્યું હતું.

દેવાંશી