અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના પ્રવાસે આવ્યાં હતા અને અમદાવાદ, બનાસકાંઠા અને પંચમહાલમાં વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યાં હતા. દરમિયાન વડાપ્રધાન ફરી એકવાર તા. 6 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે ફરી એકવાર આવે તેવી શક્યતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢામાં તા.6 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે અને જાહેરસભાને સંબોધન કરશે. આ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ભાવનગરમાં આયોજીત એક સમુહ લગ્નમાં પીએમ ઉપસ્થિત રહે તેવી શકયતા છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવર જાહેરાત કરવામાં આવી નથી.