Site icon Revoi.in

રાહુલ ગાંધીને 13 એપ્રિલ સુધી કોર્ટમાંથી જામીન મળ્યા,કેસની આગામી સુનાવણી 3 મેના રોજ થશે

Social Share

અમદાવાદ :સુરત સેશન્સ કોર્ટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની અપીલ સ્વીકારી છે. રાહુલ ગાંધીને સેશન્સ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. આ મામલે આગામી સુનાવણી 13 એપ્રિલે થશે. રાહુલ ગાંધીને પણ 13 એપ્રિલ સુધી જામીન આપવામાં આવ્યા છે. માનહાનિ કેસમાં સજા સામે 3 મેના રોજ સુનાવણી થશે.

2019ની લોકસભા ચૂંટણી દરમિયાન મોદી સરનેમના નિવેદનના કેસમાં સુરતની નીચલી અદાલતે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. આ પછી જ તેમની લોકસભાની સદસ્યતા સમાપ્ત કરવામાં આવી હતી. તેની સામે રાહુલ ગાંધીએ ગુજરાતના સુરતની સેશન્સ કોર્ટમાં અરજી કરી છે.

કર્ણાટકમાં 2019ના ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમ સાથે નિવેદન આપ્યું હતું. આ નિવેદન પર તેને સુરત મેજિસ્ટ્રેટ કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી. દોષિત ઠેરવ્યા બાદ લોકસભા સચિવાલયે તેમનું સભ્યપદ રદ્દ કરી દીધું હતું. આ મામલે કોંગ્રેસનો હોબાળો પણ ચાલી રહ્યો છે. લોકસભા અને રાજ્યસભાના સાંસદો આજે પણ કાળા કપડા પહેરીને સંસદ પહોંચ્યા હતા. વિપક્ષનો આરોપ છે કે આ જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે.

2024માં દેશભરમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. જો તેમનું સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે તો તેઓ 8 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. આવી સ્થિતિમાં 2024માં કોંગ્રેસનો ચહેરો કોણ હશે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ દિલ્હીમાં રેલી યોજીને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધી સુરત પહોંચે તે પહેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓ તેમની રાહ જોઈ રહ્યા હતા. વરિષ્ઠ નેતાઓ ત્યાં હાજર રહેશે તેવો આદેશ પહેલેથી જ હતો. રાહુલની અપીલ દરમિયાન ત્રણ સીએમ પણ હાજર હતા.

 

Exit mobile version