Site icon Revoi.in

રાજકોટઃ 3 પુસ્તકોનું વિમોચન થશે

Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્રની રાજધાની ગણાતા રાજકોટમાં જાણીતા અકિલા ઈન્ડિયા પબ્લિકેશન્સના ત્રણ નવા પુસ્તકનું સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશભાઈ જહાં અને બાન લેબ્સના મૌલેશ ઉકાણીની ઉપસ્થિતિમાં વિમોચન કરવામાં આવશે.

અકિલા ઈન્ડિયા પબ્લિકેશન્સના ‘અદેહી વીજ‘, ‘મારું બકેટ લિસ્ટ‘ અને ‘સામ્યવાદનું સત્ય‘ આજે શનિવારે સાંજના 5 કલાકે હેમુ ગઢવી મીની ઓડિટોરિયમમાં યોજાશે. મુખ્ય અતિથિ તરીકે ભાગ્યેશભાઈ જ્હાં, મૌલેશભાઈ ઉકાણી, જાણીતા વકતા મહેન્દ્ર જોશી, જય વસાવડા તથા પુસ્તક સર્જક સંજુ વ્યાસ (અદેહી વીજ), મિલિન્દ ગઢવી (મારું બકેટ લિસ્ટ) અને પ્રશાંત વાળા (સામ્યવાદનું સત્ય) ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મોટી સંખ્યામાં પુસ્તક પ્રેમીઓ ઉપસ્થિત રહેશે.