Site icon Revoi.in

સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ઘસારો વધતા ઑનલાઇન ટિકિટની મર્યાદા હટાવાઇ

Social Share

નર્મદા: કોરોના મહામારી દરમિયાન લોકપ્રિય પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઑફ યુનિટી 8 મહિના માટે પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઑફ યુનિટીને 31 ઑક્ટોબર 2020ના રોજ પીએમ દ્વારા પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. સાથે દેશના તમામ પ્રવાસન ધામોને પણ કેવડિયાથી જ પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. 1 નવેમ્બરથી પ્રવેશ ટિકિટ 2500 પ્રવાસીઓ માટે અને વ્યૂઇંગ ગેલેરીમાં 500 પ્રવાસીઓ, એમ પ્રવાસીઓની 5 સ્લોટ પાડવામાં આવ્યા હતા. હાલ પ્રવાસીઓ માટે મોટી વાત એ છે કે, સ્ટેચ્યુ ઑફ યુનિટીમાં પ્રવાસીઓની પ્રવેશ મર્યાદા વધારી દેવાઇ છે.

હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ પ્રવાસીઓનો જોરદાર ઘસારો જોવા મળી રહ્યો છે. અહીંયા અનેકવિધ આકર્ષણો પણ વધ્યા હોવાથી પ્રવાસીઓ વધુ પ્રમાણમાં અહીંયા મુલાકાત લઇ રહ્યા છે. પ્રવાસીઓના બુકિંગને જોઇને SOUમાં ટિકિટની મર્યાદા 2500થી વધારીને 7 હજાર કરી દેવામાં આવી છે. વ્યૂઇંગ ગેલેરીની ટિકિટ પાંચ સ્લોટ પ્રમાણે ઓનલાઇન આપવામાં આવતી હતી.

પહેલા પાંચ સ્લોટમાં વ્યૂ ગેલેરીમાં 500 પ્રવાસીઓની લિમિટ હતી, જેમાં રોજની 5500 પ્રવાસીઓ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં ટોટલ 7000 પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવતો હતો. કોરોનાકાળમાં લાંબુ લોકડાઉન ભોગવી કંટાળેલી ગુજરાત સહિત ભારતભરની જનતા હજુ શહેરી વિસ્તારમાં રાત્રિ કરફ્યુ લગાવવામાં આવ્યો હતો. ત્યારે દિવસેને દિવસે પ્રવાસીઓ ભલે ઓનલાઇન ટિકિટ ન મળે તોય ફરવા માટે  sou પર આવી પહોંચ્યા છે.

હાલ તંત્ર દ્વારા જે 7 હજાર પ્રવાસીઓની ઓનલાઇન ટિકિટ અપાતી હતી, જેમાં એન્ટ્રી ટિકિટમાં મર્યાદા કાઢી નાખવામાં આવી છે. પરંતુ વ્યૂવિંગ ગેલેરીમાં હજી પણ 7 હજાર પ્રવાસીઓની મર્યાદા પ્રમાણે ટિકિટ અપાય છે. જોકે હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશનનું લોકાર્પણ કેવડિયામાં કરવામાં આવ્યું અને પ્રધાનમંત્રી આશાવાદ છે કે, હવે આવનારા દિવસોમાં રોજના 1 લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવશે.

(સંકેત)