Site icon Revoi.in

UNમાં 21 જૂને PM મોદીની હાજરીમાં 180 દેશોના પ્રતિનિધિઓ યોગ કરશે

Social Share

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂનના રોજ નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર અહીં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં પ્રથમ વખત યોગ સત્રનું નેતૃત્વ કરશે. સૂત્રોએ શનિવારે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 21 જૂને અહીં યોજાનારી યોગ દિવસની ઉજવણીમાં 180થી વધુ દેશોના લોકો ભાગ લેશે. જેમાં ઘણા રાજદ્વારીઓ, કલાકારો, શિક્ષણવિદો અને ઉદ્યોગસાહસિકો સામેલ થશે.

2014માં વડાપ્રધાન મોદીના કાર્યકાળના પહેલા જ વર્ષમાં, 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી.

વડાપ્રધાન મોદીએ નવ વર્ષ પહેલા પહેલી વખત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના મંચ પરથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના વાર્ષિક કાર્યક્રમનો સૌપ્રથમ પ્રસ્તાવ મૂક્યો હતો,ત્યારબાદ પહેલી વખત હશે જયારે તે સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં યોગ સત્રનું નેતૃત્વ કરશે,આ એક ઐતિહાસિક દિવસ હશે.

ભારતમાં સત્તારૂઢ ભાજપ સરકારના નવ વર્ષની ઉજવણી કરી રહી છે. પાર્ટીના કાર્યકરો અને તેની સાથે જોડાયેલા લોકો દેશભરમાં તેની ઉપલબ્ધિઓ વિશે વાત કરી રહ્યા છે. તેની ચર્ચા હજારો કિલોમીટર દૂર સુધી ફેલાઈ ગઈ છે અને ફરી એકવાર તે જગ્યાએ પહોંચી ગઈ છે જ્યાંથી તેની શરૂઆત થઈ હતી. પીએમ મોદી અને યોગ દિવસ વાપસીના રૂપમાં હજારો કિલોમીટર દૂર પણ ચર્ચા વધી રહી છે જ્યાંથી તેની શરૂઆત થઈ હતી એટલે કે સયુંકત રાષ્ટ્ર મુખ્યાલય.

આગામી સપ્તાહે 21મી જૂને અહીં યોજાનાર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારત સરકાર પણ શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, 180થી વધુ દેશોના લોકો અહીં યોગાભ્યાસમાં ભાગ લેશે અને તેઓ જીવનના વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરશે. તેમાં રાજદ્વારીઓ, રાજકારણીઓ, કલાકારો, અગ્રણી સાંસ્કૃતિક હસ્તીઓ, શિક્ષણવિદો અને ઉદ્યોગસાહસિકોનો સમાવેશ થશે. મોદી સવારે 8 થી 9 વાગ્યા સુધી સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયના ઉત્તર લૉન ખાતે નવમા વાર્ષિક આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે.