Site icon Revoi.in

આ રાજ્યમાં કુતરાઓ પાળવા માટે બનાવાયા નિયમ , હવે કુતરાઓ પાળતા માલિકોએ રાખવું પડશે ધ્યાન

Social Share

લખનૌઃ- દેશભરમાં ઘણી જગ્યાઓ પર કુતરાઓ ગલીઓમાં શેરીોમાં રોડ રસ્તાઓ પર રખડતા જોવા મળે છે, તો વળી કુતરા પાળવાના શોખીનો પણ એટલા જ છે,જો કે હવે જે લોકો ઉત્તરપ્રદેશમાં રહેતા છે અને કુતરાઓ પાળી રહ્યા છે તેના સામે સખ્ત નિયમો લાગૂ કરાયા છે.

ઉત્તર પ્રદેશમાં આ બાબતે નિયમોનો આદેશ આપવામાં આવ્યો છે જેનું કુતરા પાળતા દરેક લોકોએ પાલન કરવાનું રહેશે જે પ્રમાણે પાલતુ કૂતરાઓના વર્તન માટે હવે માલિકો જવાબદાર રહેશે.શહેરી વિકાસ વિભાગે તમામ શહેરી સ્થાનિક સંસ્થાઓને કૂતરાઓની નોંધણી અંગે માર્ગદર્શિકા જારી કરી છે.

જાણો કયા કયા નિયમો લાગૂ થયા

મળતી વિહત પ્રમાણે આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે છેલ્લા કેટલાક મહિનામાં રાજ્યમાં વિકરાળ કૂતરાઓ દ્વારા હુમલાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. બ્રીડર્સ, રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશનો અને મોટી સંખ્યામાં રખડતા કૂતરાઓને દત્તક લેનાર વ્યક્તિઓ માટે પણ નિયમોનો સમૂહ નક્કી કરવામાં આવ્યો છે. રખડતા કૂતરાઓનું રજીસ્ટ્રેશન કોઈપણ ફી વગર કરવામાં આવશે.