Site icon Revoi.in

સાઉદી અરેબિયાઃ ભારતીય નાગરિકોને નિશાન બનાવતા નકલી એકાઉન્ટ્સને લઈ ચેતવણી જાહેર કરાઈ

Social Share

નવી દિલ્હીઃ રિયાધમાં ભારતીય દૂતાવાસે સાઉદી અરેબિયામાં રહેતા ભારતીય નાગરિકોને નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ઈમેલ એડ્રેસથી સાવધાન રહેવાની ચેતવણી આપી છે જે સાઉદી અરેબિયાથી ભારત સુધીની મુસાફરીની વ્યવસ્થામાં ખોટી રીતે મદદ કરે છે, ઘણી વખત નાણાંની માંગણી કરે છે. દૂતાવાસે સાઉદી અરેબિયામાં તમામ ભારતીય નાગરિકોને દૂતાવાસના હોવાનો દાવો કરતા કોઈપણ સંદેશાવ્યવહારની અધિકૃતતા ચકાસવા વિનંતી કરી હતી.

“એમ્બેસીના ધ્યાન પર લાવવામાં આવ્યું છે કે કેટલાક લોકો સાઉદી અરેબિયામાં નિર્દોષ ભારતીય નાગરિકોને શંકાસ્પદ ટ્વિટર એકાઉન્ટ અને ઈમેલ એડ્રેસ દ્વારા સાઉદી અરેબિયાથી ભારત સુધીની મુસાફરીની વ્યવસ્થા માટે નાણાંની માંગણી કરીને છેતરે છે. અમે સાઉદી અરેબિયામાં રહેતા તમામ ભારતીય નાગરિકોને જણાવવા માંગીએ છીએ કે રિયાધમાં ભારતીય દૂતાવાસને આ શંકાસ્પદ સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને ઈમેલ એડ્રેસ સાથે બિલકુલ કોઈ જોડાણ નથી, એમ એમ્બેસીએ એક એડવાઈઝરીમાં જણાવ્યું હતું.

“ભારતીય દૂતાવાસની અધિકૃત સંપર્ક માહિતી, જેમાં ઈમેલ આઈડી, ટ્વિટર હેન્ડલ, ફેસબુક આઈડી અને ટેલિફોન નંબરો છે, તે અમારી વેબસાઈટ https://www.coiriyadh.gov.in પર મળી શકે છે. બધાને સલાહ આપવામાં આવે છે કે તેઓ અનૈતિક તત્વો દ્વારા બિછાવેલી જાળમાં ફસાઈ ન જાય તે માટે દૂતાવાસની વેબસાઈટ પર સંપૂર્ણ રીતે ક્રોસ વેરિફિકેશન કરો. મહેરબાની કરીને નોંધ કરો કે તમામ ભારતીય મિશન ઇમેઇલ ID હંમેશા ડોમેન @mea.gov.in સાથે સમાપ્ત થાય છે. એમ્બેસી @Indian Embriyadh નું ટ્વિટર એકાઉન્ટ,” એડવાઈઝરીમાં જણાવ્યું હતું.