Site icon Revoi.in

પ્રથમ પુણ્યતિથીઃ સુશાંતના ઈન્સ્ટાગ્રામ ઉપર એક વર્ષમાં 4.3 મિલિયન ફોલોઅર્સ વધ્યાં

Social Share

મુંબઈઃ કેટલાક લોકો મૃત્યુ બાદ પણ અમર રહે છે. ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપુત પણ આવી જ વ્યક્તિ છે. તેઓ હાલ આ દુનિયામાં નથી પરંતુ કરોડો પ્રશંસકોના દિલમાં છે. આજે સુશાંતની પ્રથમ પુણ્યતિથી છે. આજના દિવસને યાદ રાખવા માટે પ્રશંસકો પ્રયાસ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં સૌથી વધારે પોપ્યુલર મીડિયમ ઈન્સ્ટાગ્રામ ઉપર આજે પણ સુશાંતના કરોડો ફેન્સ છે.

ફિલ્મ અભિનેતાનું અવસાન થયું ત્યારે તેમના 9 મિનિયન પ્રશંસકો હતો. હવે આ આંકડો 13.3 મિલિયન પહોંચ્યો હોવાનું જાણવા મળે છે. સુશાંતના અવસાન પહેલા ઈંસ્ટાગ્રામ ઉપર 9 મિલિયન ફોલોઅર્સ હતા. અવસાનના ચાર દિવસ બાદ આ આંકડામાં બે મિલિયનનો વધારો થયો હતો. આજે એક વર્ષ બાદ તેમને ફોલો કરનારા પ્રશંસકોનો આંકડો 13 મિલિયનને પાર કરી ચૂક્યો છે.

ગત વર્ષે અવસાન પહેલા સુશાંત ઈન્સ્ટાગ્રામ ઉપર કેટલાક દિવસોથી એક્ટિવ ન હતા. તેમણે અવસાનના 11 દિવસ પહેલા એટલે કે 3 જૂનના રોજ અંતિમ પોસ્ટ મુકી હતી. આ અંતિમ પોસ્ટ માતાના નામે હતી. અંતિમ પોસ્ટમાં માતાને યાદ કરીને લખ્યું હતું કે, આંસુઓ સે વાષ્પિત હોતા અતીત, મુસ્કુરાહટ કે એક આર્ક કો ઉતરતે સપને ઓર એક ક્ષણભંગુર જીવન, દોનો કે બીચ બાતચીત, અભિનેતા માતાની ખુબ જ નજીક હતો. 16 વર્ષની ઉંમરમાં જ સુશાંતે માતાની છત્રછાયા ગુમાવી હતી. અભિનેતા અનેકવાર સોશિયલ મીડિયામાં માતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા હતા.

સુંશાતસિંહ રાજપુતના ઈન્સ્ટાગ્રામ ઉપર આજે પણ પ્રશંસકો કોમેન્ટ કરે છે. આજે પણ તેમની પુણ્યતીથી પર તેમને યાદ કરીને મેસેજ લખ્યાં હતા. પ્રશંસકો તા. 14મી જૂનને બ્લેક ડે માને છે. તેમજ અનેક લોકોએ સુશાંતને ન્યાય અપાવવાની માંગણી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુશાંતનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને મેમોરલાઈઝડ કેટેગરીમાં રાખવામાં આવ્યું છે. કોઈના અવસાન બાદ તેમની યાદમાં તેમના એકાઉન્ટને સાચવીને રાખવામાં આવે છે.